Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્નીઓ પરના નિવેદન બદલ જયસવાલ વિરુદ્ધ કેસ દાખલ

Sriprakash Jaiswal
કાનપુર, 03 ઑક્ટોબરઃ મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને કેન્દ્રીય કોલસાપ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બુધવારે કાનપુરની સીએમએમ કોર્ટમાં તેમના વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે અંગેની સુનાવણી આગામી 8 ઓક્ટોબરના રોજ થશે. 'જુની પત્નીઓ' અંગેના જયસવાલના નિવેદનથી મહિલાઓ ગુસ્સે ભરાઇ હતી અને વિરોધ પ્રદર્શન કરતા તેમના પૂતળાનું દહન કર્યું હતું. જો કે આ નિવેદન પછી તેમણે માફી માગી લીધી હતી.

માફી માગતા તેમણે કહ્યું હતું કે, તેમણે જે કહ્યું છે તેને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં આ દેશની માતા અને બહેનોને મારી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો હું તેમની માફી માંગવા તૈયાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિનના એક કાર્યક્રમ દરમિયાન 30 નવેમ્બરે કાનપુરમાં જયસવાલે કહ્યું હતું કે નવી-નવી જીત અને નવા-નવા લગ્ન બન્નેનું પોતાનું મહત્વ છે. જેમ-જેમ સમય વિતતો જશે જીત જુની થઇ જશે. જેમ-જેમ સમય વીતે છે પત્ની જુની થવા લાગે છે. તેમાં એ મજા નથી રહેતો. આ નિવેદન બાદ ચારે તરફ વિરોધના વાયરો ફુંકાયો હતો. તમામે શ્રીપ્રકાશ જયસવાલ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો.

મહિલા આયોગ, ભાજપ નેતા સ્મૃતિ ઇરાની સહિત બધાએ શ્રીપ્રકાશ જયસવાલ પર ટીકાઓનો મારો લગાવી દીધો હતો. બધાનું કહેવું હતું કે, તેમને કોઇ હક નથી કે તે મહિલાઓની તુલના જીત સાથે કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે જયસવાલે આ અંગે માફી માંગી લીધી છે તો પછી મામલો અહીં જ ખત્મ કરી દેવો જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X