સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017: PM મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
પીએમ મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમા ભાગ લેવા માટે આવેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને ઇનોવેશન તથા જનભાગીદારી થકી દેશની સમસ્યાઓના સમાધાન પર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017માં ભાગ લઇ રહેલા યુવાનો સાથે વાતચીત કરી હતી. તેમણે હેકેથોન અંગે વાત કરતાં કહ્યું કે, આ એક અનોખો પ્રયોગ છે. તેમણે કહ્યું કે, ભારત યુવાઓનો દેશ છે, યુવાનો ઊર્જાથી ભરપૂર છે, જેનું ફળ મળશે. આનાથી દેશને ફાયદો થશે.

'પ્રતિસ્પર્ધીઓ પર ગર્વ છે'
પીએમ એ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓ પર મને ગર્વ છે, જે અહીં સંશોધન અને રચનાત્મકતા બતાવવા આવ્યા છે. આ પ્રશંસનીય છે. તેમણે પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ વધારતાં કહ્યું કે, તમે છેલ્લા 15 વર્ષથી સતત કામ કરી રહ્યાં છો, પરંતુ થાક્યા નથી.

ટેક્નોલોજીથી દેશની સમસ્યાઓનું સમાધાન
વડાપ્રધાને વધુને વધુ સંશોધન માટે ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ, જેને ટેક્નોલોજી ચલાવી રહી છે. યુવાઓને સંબોધિત કરતાં પીએ મોદીએ કહ્યું કે, દેશની ઘણી સમસ્યાઓના સમાધાન શોધવાના છે. આ પડકારજનક છે, પરંતુ આવશ્યક પણ છે.

જનભાગીદારીથી મળશે સમાધાન
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર તમામ સમસ્યાઓ ન ઉકેલી શકે, લોકોની ભાગીદારી અત્યંત જરૂરી છે. લોકતંત્રનો મૂળ સાર જનભાગીદારી છે. આ થકી આપણે આપણી તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં સફળ થઇ શકીએ છીએ. તેમણે કહ્યું કે, સંશોધન દરમિયાન નિષ્ફળતા પણ મળે છે, પરંતુ તેના કારણે નિરાશ થવાની જરૂર નથી.

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનો ગ્રાન્ડ ફિનાલે
ડિજિટલ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે દેશમાં દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં સ્થિત 26 અલગ-અલગ સ્થળો પર 10,000 પ્રોગ્રામર્સ 36 કલાક સુધી ચાલનાર ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઇ રહ્યાં છે. આ ગ્રાન્ડ ફિનાલે 1 એપ્રિલની સવારે 8 વાગે શરૂ થયું હતું અને 2 એપ્રિલની સાંજે 8 વાગ્યા સુધી ચાલશે.

શું છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન?
સામાજિક સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સરકારે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કર્યું છે. આ હેઠળ સરકાર દ્વારા કુલ 598 સમસ્યાઓ ધ્યાનમાં લેવામાં આવી છે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓ દેશની આ સમસ્યાઓના સમાધાન માટે ટેક્નોલોજીની યુક્તિ રજૂ કરશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
