મહારાષ્ટ્ર માટે એક પાર્ટીની સરકાર જરૂરી: વડાપ્રધાન મોદી
ઓરંગાબાદ, 5 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાના ગઢ ઓરંગાબાદમાં શિવસેનાનું નામ લીધા વગર પોતાના ભાષણમાં જણાવ્યું કે ભાજપમાં કોઇ પાર્ટી સાથે સમજૂતી નહી કરે અને લોકોને અપીલ કરી કે તેઓ ગઠબંધન સરકારની માનસિકતાથી બહાર આવે.
મોદીએ 25 વર્ષ જુના શિવસેના-બીજેપી ગઠબંધન તૂટવા પર પહેલીવાર પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું કે ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાના સમર્થનમાં હતા. ઓરંગાબાદ રેલીમાં તેમણે જણાવ્યું કે પૂર્ણ બહુમતીથી બનેલી એક પાર્ટીની સરકાર, ગઠબંધન સરકાર કરતા વધારે નિર્ણાયક હોય છે. મોદીએ અપ્રત્યક્ષ રીતે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બન્યા બાદ ગઠબંધન અને ફ્રંટ સમાપ્ત થઇ ગયું છે. તેમણે ભારત આપીને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પણ એક પાર્ટીની સરકાર હોવી જોઇએ અને લોકોને એક પાર્ટીની સરકાર બનાવવી જોઇએ.
મોદીએ પોતાનું ભાષણ 35 મિનિટ સુધી મરાઠીમાં આપ્યું અને ભીડમાંથી જોરદાર જુસ્સો પણ મેળવ્યો. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રના સંતોના નામ લીધા. સંત એકનાથથી સ્વામી રામાનંદ તિરથ સુધીના નામ લીધા. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાતનો મોટો ભાઇ છે. છેલ્લા 15 વર્ષમાં આ રાજ્યએ દેશમાં નંબર એકની પોઝિશન ગુમાવી દીધી છે. શિક્ષણ, રોજગાર, હાઇજીન વગેરે ચિંતાજનક છે. મહારાષ્ટ્ર ઇંડસ્ટ્રી, સામાજિક કાર્ય, સાહિત્ય અને રાજનૈતિક વિસ્તારમાં હંમેશા નંબર એક પર રહ્યું છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ-એનસીપીના 15 વર્ષના શાસનમાં મહારાષ્ટ્રે આ ખ્યાતિ ગુમાવી દીધી છે.