ચૂંટણી કેમ્પેઇનમાં પીએમ મોદી ઉપરાઉપરી 25 જનસભાઓ કરી શકે છે
5 રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ભાજપ મીની લોકસભા ચૂંટણી તરીકે જોઈ રહી છે. ભાજપ આ ચૂંટણીમાં પુરા જોશ સાથે પોતાની દમ લગાવી રહી છે.
5 રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ભાજપ મીની લોકસભા ચૂંટણી તરીકે જોઈ રહી છે. ભાજપ આ ચૂંટણીમાં પુરા જોશ સાથે પોતાની દમ લગાવી રહી છે. આ રાજ્યોમાં પીએમ મોદીની જનસભાની ડિમાન્ડ ખુબ જ વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 5 રાજ્યોમાં કુલ 25 જનસભાઓ સંબોધિત કરી શકે છે. પાર્ટીનું માનવું છે કે પીએમ મોદીની રેલીઓમાં જમા થયેલી ભીડ વોટમાં બદલાય છે.
આ પણ વાંચો: જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે: બિલાસપુર રેલીમાં પીએમ
પીએમ મોદી વધારે રેલીઓ કરે તેના માટે માંગ
પાર્ટીમાં પીએમ મોદી વધારે રેલીઓ કરે તેના માટે માંગ ઉઠી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વધારે જનસભાઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થશે. ખરેખર ભાજપ માટે આ રાજ્યોમાં સત્તા બચાવવી એક મોટો પડકાર બની રહ્યો છે. પાર્ટી આ રાજ્યમાં મોદી લહેરથી સત્તા જાળવી રાખવા માંગે છે. ભાજપાના કેટલાક સૂત્રો ઘ્વારા તેના વિશે જાણકારી મળી છે. સૂત્રો અનુસાર મોદીની જનસભાની સંખ્યા હજુ સુધી અનિશ્ચિત છે અને આવનારા દિવસોમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સ્ટાર પ્રચારક
આપને જણાવી દઈએ કે પાર્ટીએ ભાજપા અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, ઉમા ભારતીને આ રાજ્યોમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ નેતાઓની હાજરી હોવા છતાં પણ પીએમ મોદીની રેલીઓ માટે માંગ વધી રહી છે. અત્યારસુધીમાં પીએમ મોદીની મધ્યપ્રદેશમાં 10 જનસભાઓ નક્કી કરવામાં આવી છે, જયારે રાજસ્થાનમાં 8 રેલીઓ થવાની સંભાવના છે. તેવી જ રીતે તેલંગાણા અને મિઝોરમના કાર્યક્રમ પણ નક્કી થઇ રહ્યા છે.
ભીડ વોટમાં બદલાય છે
પાર્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદીની રેલીઓમાં જમા થયેલી ભીડ વોટમાં બદલાય છે. તેવી પરિસ્થિતિમાં પીએમ મોદીની રેલીઓની માંગ વધી રહી છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બર અને રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરે ચૂંટણી થવા જઈ રહી છે. જયારે છત્તીસગઢમાં પહેલા ચરણમાં ચૂંટણી થઇ ચુકી છે, બાકીની 78 સીટો માટે 20 નવેમ્બરે મતદાન છે.