રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના લાપતા થવાના પોસ્ટરો લાગ્યા
કોંગ્રેસના ગઢમાં પોસ્ટરવોર શરુ થઇ ચૂક્યું છે. રાયબરેલી શહેરના બધા જ વિસ્તારોમાં કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના ગઢમાં પોસ્ટરવોર શરુ થઇ ચૂક્યું છે. રાયબરેલી શહેરના બધા જ વિસ્તારોમાં કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી લાપતા થઇ ચુક્યા છે. સૌથી ખાસ બાબત છે કે આ પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઈમોશનલ બ્લેક્મેલર ગણાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે જિલ્લાઓમાં જઈને પ્રચાર કરે છે અને લોકોને વોટ આપવા માટે અપીલ કરે છે પરંતુ ઘણા વર્ષોથી તેઓ જિલ્લાઓમાં જોવા નથી મળ્યા, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે ત્રિપુલ અને હરદાસપુર સાથે ખીરોના શેમરીમાં દિવારો પર તેમના પોસ્ટર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનની ચૂંટણીમાં મુદ્દાને બદલે ચહેરાની રમત રમશે ભાજપ
પોસ્ટર માધ્યમ ઘ્વારા કોંગ્રેસ પર પ્રહાર
પોસ્ટરમાં મેડમ પ્રિયંકા ગાંધી લાપતા લખેલું છે. પોસ્ટરમાં હાલમાં થયેલી ત્રણ ઘટના હરચંદપુરમાં થયેલી રેલ દુર્ઘટના, ઉચાહરમાં થયેલી પીકઅપ અને બસ દુર્ઘટના અને લાલગંજમાં બે યુવકોના ડૂબવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ ત્રણે ઘટનાઓમાં પ્રિયંકા ગાંધી નહીં આવવા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે મેડમ નવરાત્રી, દુર્ગાપૂજા અને દશેરામાં નથી જોવા મળી, તો હવે મેડમ ઈદમાં જોવા મળશે? પ્રિયંકા ગાંધીના આ પોસ્ટરથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે.