રાહુલ ગાંધીએ મંદી માટે મોદી સરકાર પર આરોપ લગાવ્યો
રાહુલ ગાંધીએ મંદી અંગે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે મોદી સરકાર દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટને છુપાવવા માટે ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદી અંગે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે મોદી સરકાર દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટને છુપાવવા માટે ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અત્યારે ખોટા પ્રચાર, ખોટા સમાચાર અને યુવાનો વિશે મૂર્ખ વાતો કરવાની જરૂર નથી, પરંતુ ભારતને એક નક્કર નીતિની જરૂર છે જેથી અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારી શકાય.
રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા સ્વીકારો કે આપણને કોઈ સમસ્યા છે. આ સ્વીકાર કરવું એક સારી શરૂઆત હશે. આ સાથે રાહુલ ગાંધીએ એક અખબારમાં છપાયેલા પૂર્વ પીએમ મનમોહન સિંહના ઇન્ટરવ્યુ ટાંકતાં એમ પણ કહ્યું હતું કે પહેલા સરકારે સ્વીકારવું જોઈએ કે અર્થવ્યવસ્થામાં કોઈ સમસ્યા છે.
What India needs isn’t propaganda, manipulated news cycles & foolish theories about millennials, but a concrete plan to #FixTheEconomy that we can all get behind.
— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2019
Acknowledging that we have a problem is a good place to start.https://t.co/mAycubTxy1
આ અગાઉ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ અર્થવ્યવસ્થા વિશે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જ ઓલા-ઉબરે રોજગાર વધાર્યો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓલા-ઉબેરને કારણે ઓટો ક્ષેત્ર ઘટ્યું છે. પ્રિયંકાએ સવાલ ઉઠાવ્યો કે આ ભાજપ સરકાર અર્થવ્યવસ્થા અંગે કેમ મૂંઝવણમાં છે.
આ પણ વાંચો: રાજકીય રીતે હારેલા લોકોનું આશ્રયસ્થાન બની રહી છે કોંગ્રેસ