રેલવે બજેટ 2013: તત્કાળ ટીકીટ થઇ મોંઘી

એટલું જ નહીં હવે નવી રિઝર્વેશન પ્રણલીમાં રેલવે રિઝર્વેશનમાં સારી સુવિધા હશે. બંસલે કહ્યું કે નવી પ્રણાલીમાં એક મીનિટની અંદર 7200 ટીકીટ બુક કરવાની ક્ષમતા હશે, જ્યારે હાલની ક્ષમતા એક મીનિટમાં 2000 ટીકીટ બુક કરવાની ક્ષમતા છે.
આઇઆરસીટીસીની વેબસાઇટ પર જરૂરિયાત કરતા ઓછી ઝડપથી કામ થતું હોવાના કારણે યાત્રીઓને થનારી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા બંસલે કહ્યું કે, નવી ઇ-ટીકીટિંગ પ્રણાલીથી આ સ્થિતિમાં સુધારો આવશે.
આ પહેલા બંસલે કહ્યું હતું કે યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવશે નહીં. તાજેતરમાં જ યાત્રી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, તેથી અત્યારે તેમાં કોઇ વધારો કરવામાં આવશે. જો કે, માલ ભાડામાં જરૂરથી વધારો કરવામાં આવશે, તે પણ ફ્યૂએલ એડજેસ્ટમેન્ટ પ્રણાલી હેઠળ કરાશે. એટલે કે અંતર જેટલું વધારે તેટલું જ ભાડું વધારે.












Click it and Unblock the Notifications
