રામાયણ યાત્રા: શ્રદ્ધાળુઓને લઇ અયોધ્યા પહોંચી પહેલી ટ્રેન, ફુલોથી કરાયું સ્વાગત
આઈઆરસીટીસી તરફથી શરુ કરવામાં આવેલી શ્રી રામાયણ યાત્રાની પહેલી ટ્રેન સોમવારે સવારે 9 વાગે અયોધ્યા કેન્ટ સ્ટેશન પર પહોંચી. આ ટ્રેનમાં ભારતના વિભિન્ન પ્રદેશોના 132 શ્રદ્ધાળુ સવાર હતા. રેલવે વહીવટીતંત્રએ આ શ્રદ્ધાળુઓ પર પુષ્
ઈઆરસીટીસી તરફથી શરુ કરવામાં આવેલી શ્રી રામાયણ યાત્રાની પહેલી ટ્રેન સોમવારે સવારે 9 વાગે અયોધ્યા કેન્ટ સ્ટેશન પર પહોંચી. આ ટ્રેનમાં ભારતના વિભિન્ન પ્રદેશોના 132 શ્રદ્ધાળુ સવાર હતા. રેલવે વહીવટીતંત્રએ આ શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા કરીને તેમનુ સ્વાગત કર્યુ.

ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓએ કહ્યુ કે અયોધ્યા અને શ્રીરામ અમારા દિલમાં વસે છે. આજે અયોધ્યા પહોંચીને અમારુ જીવન ધન્ય થઈ ગયુ. કેટલાક અન્ય શ્રદ્ધાળુઓએ કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી અયોધ્યામાં શ્રીરામ મંદિરનુ ભવ્ય નિર્માણ થઈ રહ્યુ છે. આ દેશ માટે સૌભાગ્યની વાત છે.
તમામ શ્રદ્ધાળુઓએ રેલવે દ્વારા ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી. લોકોએ આને ફાઈવ સ્ટાર હોટલ જેવી ગણાવી. સ્પેશ્યલ ટ્રેનથી આવનાર શ્રદ્ધાળુ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ, હનુમાનગઢી અને સરયૂ તટ પર દર્શન અને પૂજન કરશે. આ સિવાય ત્યાં પૂરી અયોધ્યાનુ ભ્રમણ કરશે અને નંદીગ્રામ પણ જશે.
શ્રદ્ધાળુઓની યાત્રા માટે આઈઆરસીટીસીએ 4 લગ્ઝરી બસની વ્યવસ્થા કરી છે. આ ટ્રેન મંગળવારની સાંજે 4:30 વાગે વારાણસી માટે રવાના થશે. શ્રદ્ધાળુઓનુ સ્વાગત કરવા માટે જિલ્લાના કોઈ પણ જનપ્રતિનિધિ હાજર નહોતા. ટ્રેનમાંથી બહાર નીકળતા જ શ્રદ્ધાળુઓએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યુ કે જે રીતે અયોધ્યાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તે પ્રશંસનીય છે. અયોધ્યા અમારા દેશની સાંસ્કૃતિક રાજધાની બની રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કાર્યકાળના પ્રારંભથી જ અયોધ્યાને લઈને પ્રયાસરત છે. 3 નવેમ્બરે શહેરમાં આ વખતે પાંચમો દીપોત્સવ મનાવવામાં આવ્યો. દીપોત્સવે અયોધ્યાને એક અલગ ઓળખ આપી છે. એક શ્રદ્ધાળુ દંપતીએ ટ્રેનની સાથે સેલ્ફી લઈને પોતાની યાત્રાને યાદગાર ગણાવી. આ ટ્રેનના સંચાલનથી દેશમાં શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચી શકશે. અયોધ્યામાં પણ ફરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
