For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળા સાહેબના સ્મારક મુદ્દે BMCએ શિવસેનાને ફટકારી નોટિસ

|
Google Oneindia Gujarati News

shiv sena
મુંબઇ, 4 ડિસેમ્બર: બીએમસીએ શિવસેનાને શિવાજી પાર્કમાં બનેલા બાળા સાહેબના અસ્થાઇ સ્મારકના માળખાને તોડી દૂર કરવા નોટિસ ફટકારી છે. શિવાજી પાર્કમાં જ શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે મેયર સુનીલ પ્રભુએ નોટિસ મળવાનો ઇનકાર કરી દીધો હતો.

શિવસૈનિકો પાર્કમાં બાળા સાહેબ ઠાકરેનું સ્મારક બનાવવાની માગ કરી રહ્યા છે, પરંતુ બીએમસીએ તેની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. બીએમસીએ જણાવ્યું કે માત્ર અંતિમ સંસ્કાર માટે જ શિવાજી પાર્કના મેદાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. અંતિમ સંસ્કાર થઇ ગયું છે માટે પાર્કને પહેલા જેવી સ્થિતિમાં લાવી દેવું જરૂરી છે.

ગ્રાઉન્ડ શહેરના વિકાસની યોજના માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે સ્મારકને લઇને ઉભો થયેલો વિવાદ બિનજરૂરી છે. સામનામાં લખેલ એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે આને મોટો મુદ્દો શા માટે બનાવવામાં આવે છે. હું બધાને અપીલ કરુ છું કે હમણા કોઇ વિવાદ ઉભો ના કરે.

English summary
The BMC has served notices to mayor Sunil Prabhu and Shiv Sena MP Sanjay Raut to remove the make-shift memorial of Sena patriarch Bal Thackeray, from Shivaji Park in Dadar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X