Republic Day: કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતનું 'શૌર્ય'! રાષ્ટ્રપતિ ક્યારે ફરકાવશે તિરંગો, શું છે પરેડનો સમય?
Republic Day 2026 Flag Hoisting Timings: આજે ભારત તેની લોકશાહી યાત્રાનું વધુ એક ગૌરવશાળી પ્રકરણ લખી રહ્યું છે. સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું તેની યાદમાં દર વર્ષે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવે છે.
આ અવસરે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના કર્તવ્ય પથ (Kartavya Path) પર મુખ્ય રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને વિકાસ યાત્રાની ભવ્ય ઝલક જોવા મળશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) સમારોહનું નેતૃત્વ કરશે, જ્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે.
26 January Flag Hoisting: શું છે ધ્વજવંદનનો સમય?
પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત PM નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે. ત્યારબાદ ઔપચારિક રીતે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સવારે 10:00થી 10:30 વાગ્યાની વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ધ્વજવંદન બાદ તરત જ રાષ્ટ્રગીત ગાવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે, જે આ સમારોહની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.
Republic Day Parade 2026 Time: સવારે 9:30 વાગ્યે શરૂ થશે પરેડ
પ્રજાસત્તાક પર્વની પરેડ સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. દર્શકો માટે પ્રવેશદ્વાર સવારે 7:00 વાગ્યાથી ખોલી દેવામાં આવશે. આ વર્ષની પરેડમાં કુલ 6,065 સહભાગીઓ સામેલ થશે. પરેડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ ભવનીશ કુમાર કરશે. સમારોહની ભવ્યતા વધારવા માટે 12 મિલિટરી બેન્ડ અને 8 પાઈપ બેન્ડ પરેડનો હિસ્સો બનશે, જે દેશભક્તિના સૂરથી વાતાવરણને ગુંજાવી દેશે.
30 ઝાંખીઓમાં જોવા મળશે ભારતની સાંસ્કૃતિક અને વિકાસ યાત્રા
આ વર્ષની પરેડમાં કુલ 30 ઝાંખીઓ (Tableaux) રજૂ કરવામાં આવશે. જેમાંથી 17 ઝાંખીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હશે, જ્યારે 13 ઝાંખીઓ વિવિધ મંત્રાલયો, વિભાગો અને સેવાઓની હશે. આ ઝાંખીઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વિકાસલક્ષી સિદ્ધિઓ, સામાજિક યોજનાઓ અને રાષ્ટ્રીય સિદ્ધિઓને કર્તવ્ય પથ પર જીવંત રીતે પ્રદર્શિત કરવામાં આવશે.
ઘેર બેઠા આ રીતે જુઓ પ્રજાસત્તાક પર્વનો સમારોહ
જે લોકો કર્તવ્ય પથ પર જઈને પરેડ જોઈ શકતા નથી, તેઓ ઘરે બેઠા લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સમારોહનો આનંદ માણી શકે છે. સીધું પ્રસારણ અહીં ઉપલબ્ધ હશે.
- દૂરદર્શન (DD National)
- દૂરદર્શનની YouTube ચેનલ
- ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ની YouTube ચેનલ
- અન્ય મુખ્ય ટીવી ન્યૂઝ ચેનલો
દર્શકો માટે એન્ટ્રી ટિકિટ ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી ઉપલબ્ધ છે, જેની કિંમત 20 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.
ઘર, શાળા અને ઓફિસમાં ધ્વજવંદનનો યોગ્ય સમય
જો તમે તમારા ઘર, સોસાયટી, શાળા કે ઓફિસમાં ધ્વજવંદનનું આયોજન કરી રહ્યા હોવ, તો તેના માટે સવારે 8:00થી 11:00 વાગ્યા વચ્ચેનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. નિયમો અનુસાર, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે.
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસ માત્ર બંધારણ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો અવસર નથી, પરંતુ એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાનું પ્રતીક છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
