વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ, મહિલાઓ હજુ સુધી નથી કરી શકી દર્શન
વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ
તિરુવનંતપુરમઃ મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલ વિવાદની વચ્ચે કેરળના સરીમાલા મંદિરના ગેટ સોમવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરની માસિક પાંચ દિવસીય પૂજા રવિવારે ખતમ થઈ, જે બાદ સોમવારથી મંદિરના ગેટ બંધ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ મંદિરના દરવાજા પાંચ દિવસીય પૂજા માટે ગત અઠવાડિયે ખુલ્યા હતા. મંદિર ખુલ્યા બાદ કોઈપણ મહિલા હજુ સુધી મંદિરમાં દર્શન કરવા જઈ શકી નથી.

સબરીમાલા મંદિરના ગેટ સોમવારે દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા. મંદિરમાં પાંચ દિવસીય પૂજા ખતમ થયા બાદ આવું કરવામાં આવ્યું. બુધવારે કપાટ ખુલવા પર મહિલાઓના પ્રવેશ માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂના પ્રતિબંધને હટાવતા 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાય સંગઠનો અને લોકોએ આનો વિરોધ કરી રહ્યા છે. આદેશ બાદ બુધવારે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા તો પ્રદર્શનકારીઓએ વર્ષો જૂના રિવાજનો હવાલો આપતા મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. જે બાદ પાંચ દિવસ સુધી કેટલીય મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પરંતુ તેમને પરત મોકલવામાં આવ્યાં. ત્યાં રિપોર્ટિંગ કરવા ગયેલ કેટલીય મહિલા પત્રકારોને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવી. શુક્રવારે કવિતા જક્કાલ અને એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પુજારીએ ગેટ ન ખોલ્યો જે બાદ તેઓ પોલીસ સુરક્ષામાં પરત ફરી ગયાં.
આ પણ વાંચો- 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?











Click it and Unblock the Notifications
