વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ, મહિલાઓ હજુ સુધી નથી કરી શકી દર્શન

વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ

તિરુવનંતપુરમઃ મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલ વિવાદની વચ્ચે કેરળના સરીમાલા મંદિરના ગેટ સોમવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરની માસિક પાંચ દિવસીય પૂજા રવિવારે ખતમ થઈ, જે બાદ સોમવારથી મંદિરના ગેટ બંધ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ મંદિરના દરવાજા પાંચ દિવસીય પૂજા માટે ગત અઠવાડિયે ખુલ્યા હતા. મંદિર ખુલ્યા બાદ કોઈપણ મહિલા હજુ સુધી મંદિરમાં દર્શન કરવા જઈ શકી નથી.

sabarimala

સબરીમાલા મંદિરના ગેટ સોમવારે દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા. મંદિરમાં પાંચ દિવસીય પૂજા ખતમ થયા બાદ આવું કરવામાં આવ્યું. બુધવારે કપાટ ખુલવા પર મહિલાઓના પ્રવેશ માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર વર્ષો જૂના પ્રતિબંધને હટાવતા 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાય સંગઠનો અને લોકોએ આનો વિરોધ કરી રહ્યા છે. આદેશ બાદ બુધવારે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા તો પ્રદર્શનકારીઓએ વર્ષો જૂના રિવાજનો હવાલો આપતા મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. જે બાદ પાંચ દિવસ સુધી કેટલીય મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પરંતુ તેમને પરત મોકલવામાં આવ્યાં. ત્યાં રિપોર્ટિંગ કરવા ગયેલ કેટલીય મહિલા પત્રકારોને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવી. શુક્રવારે કવિતા જક્કાલ અને એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પુજારીએ ગેટ ન ખોલ્યો જે બાદ તેઓ પોલીસ સુરક્ષામાં પરત ફરી ગયાં.

આ પણ વાંચો- 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X