કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે
કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટની અવગણનાના મામલામાં આજે સજાનું એલાન થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યયાયાધિશ જસ્ટિસ એસએ બોબડે અને સુપ્રીમ કોર્ટની આલોચના કરતા પોતાના ટ્વિટમાં પ્રશાંત ભૂષણનો સુપ્રીમ કોર્ટે પહેલે જ દોષી ઠેરવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજે કોર્ટ તેમની સજાનું એલાન કરી શકે છે. અગાઉ કોર્ટે પ્રશાંત ભૂષણને માફી માંગવાનો મોકો આપ્ટો હતો, પરંતુ પ્રશાંત ભૂષણે આવું કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમની અંતરાત્મા અને ન્યાયાલયનું અપમાન થશે. પ્રશાંત ભૂષણના પક્ષમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પણ તર્ક આપ્યો.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં પ્રશાંત ભૂષણને સજા આપવાના મામલે એટર્ની કેકે વેણુગોપાલ પાસેથી તેમનું મંતવ્ય મંગાવ્યું હતું. આ મુદ્દે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભૂષણને ચેતવણી આપી છોડી મૂકવા જોઈએ કેમ કે તેમનું ટ્વીટ એમ જણાવવા માટે હતું કે જ્યૂડિશરીને પોતાની અંદર સુધારો લાવવાની જરૂરત છે. જણાવી દઈએ કે પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજને લઈ જે ટ્વીટ કર્યું હતું, તેને કોર્ટની અવગણના માનતા તેમણે દોષી ઠેરવ્યા હતા અને આ મામલે પ્રશાંત ભૂષણને માફી માંગવા માટે કહ્યું હતુ્ં, પરંતુ પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો.
અગાઉ આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે અમે નિષ્પક્ષ ટિકાનું સ્વાગત કરે છે પરંતુ શું આપણે ટિકાનો જવાબ આપવા માટે પ્રેસમાં જઈ શકે છે. એક જજના રૂપમાં હું ક્યારેય પ્રેસમાં નથી ગયો. જ્યારે તે નૈતિકતા છે જેનું અમારે અવલોકન કરવાનું છે. ભૂષણના નિવેદન અને સ્પષ્ટતા વાંચવી દર્દનાક છે. પ્રશાંત ભૂષણ જેવા 39 વર્ષના અનુભવ વાળા વરિષ્ઠ વકીલને આવા પ્રકારે વ્યવહાર ના કરવો જોઈએ. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે અમે અંદર અને બહારની ઘણી વાતો જાણીએ ચીએ પરંતુ શું આપણે એ વાતો માટે પ્રેસમાં જઈ શકીએ? આપણે ના જઈ શકીએ, આપણી એકબીજાની અને સંસ્થાની ગરિમાની રક્ષા કરવી પડશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
