ભારત માટે ઇમરાન કરતા શરીફ વધારે ઉચિત : વિશ્લેષણ

પાકિસ્તાન સામાન્ય ચૂંટણી 2013ની મતગણતરી ચાલી રહી છે અને તેના પરથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે આ વખતે સત્તા નવાઝ શરીફના હાથમાં આવી રહી છે. આવામાં ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધો સુધરે તેવી આશા સૌ કોઇ રાખી રહ્યા છે.
આ વખતે જો નવાઝ શરીફને બદલે ઇમરાન ખાન વડાપ્રધાન બનત તો તેઓ ભારત સાથેના સંબંધોને મહત્વ તો ચોક્કસ આપત પણ ઇમરાન ખાને હજી સુધી રાજકીય નેતા તરીકે કોઇ પરીક્ષા આપી નહીં હોવાથી બે દેશો વચ્ચેના સબંધો કેવી રીતે સુધારી શકાય તેનો તેમને ખાસ અનુભવ નથી.
બીજી તરફ નવાઝ શરીફ એક અનુભવી રાજનેતા માનવામાં આવે છે. તેઓ જેલ પણ જઇ ચૂક્યા છે. તેમની ટક્કર સૈન્ય શાસન સાથે પણ થઇ ચૂકી છે. જો આ વખતે વડાપ્રધાન બનીને નવાઝ શરીફના વલણમાં ખાસ બદલાવ નહીં આવે તો ભારત માટે તેઓ ઇમરાન ખાન કરતા વધારે સારા નેતા સાબિત થશે.
પાકિસ્તાન સૈન્ય સાથે દર વખતે નવાઝ શરીફને ટક્કર ઝીલવી પડી છે. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર (પીપીપી)ને પાંચ વર્ષ સુધી ચાલવા દીધી છે. જો તેમણે ધાર્યું હોત તો સરકારને ઉથલાવી પણ શક્યા હોત. પીપીપીના કાર્યકાળ દરમિયાન તેમણે પોતાની રાજકીય પરિપક્વતાનો પરિચય આપ્યો હતો. તેમણે ક્યારેય પણ જરદારી સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો નથી. કારણ કે નવાઝ શરીફ માને છે કે જો દેશમાં લોકશાહીને મજબૂત કરવી હશે તો સહયોગ આપવો જરૂરી છે.
દર વખતની જેમ આ વખતે પણ સૈન્ય સાથે તેમની ટક્કર થાય એવું બને. તે તેમની રાજનીતિનું એક પાસું છે. જો કે આ વખતને સેના પ્રમુખ કોણ છે તેના ઉપર પણ ઘણો આધાર રહેલો છે. આવનારા સમયમાં શું થશે એ તો આવનારા સમયમાં જ જાણવા મળશે.
અહીં બીજી એક મહત્વની બાબત એ છે કે તહરેકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ શરૂઆતમાં જ કહ્યુંહતું કે લોકશાહીમાં તેને વિશ્વાસ નથી. તે ચૂંટણીઓ યોજાવા નહીં દે. તેમણે છેલ્લી ઘડીએ મતદાન દરમિયાન બોમ્બ વિસ્ફોટ કર્યા અને ત્રણ પાર્ટીઓને નિશાન બનાવી. આથી આ ચૂંટણીઓ પાકિસ્તાનમાં લોકશાહીની પરીક્ષા હતી. જેમાં દેશ પાસ થયો છે. વિસ્ફોટો છતાં પાકિસ્તાનમાં 60 ટકા મતદાન લોકોનો જુસ્સો દર્શાવે છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
