શીના બોરા હત્યા કેસમાં સાક્ષીએ કર્યો મોટો ખુલાસો
હાઇપ્રોફાઇલ અને સનસનીખેજ શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષીએ તપાસકર્તાઓ સામે નવા અને મહત્વના ખુલાસા કર્યા છે......
2012માં થયેલા હાઇપ્રોફાઇલ અને સનસનીખેજ શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષીએ તપાસકર્તાઓ સામે નવા અને મહત્વના ખુલાસા કર્યા છે.

શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષી બનેલા આરોપી શ્યામવર રાયની માનીએ તો શીનાની હત્યાની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીને આ હત્યાકાંડની પૂરેપૂરી જાણકારી હતી. તેને એ પણ ખબર હતી કે માર્યા બાદ શીનાને ક્યા દફનાવવાની છે.
શ્યામવરના જણાવ્યા મુજબ, શીનાની ગળુ દબાવીને હત્યા કર્યા બાદ ઇન્દ્રાણી મુખર્જીએ પોતાના પતિને ફોન કરીને જણાવ્યું કે તેણે લાશ ક્યાં દફનાવી છે. એપ્રિલ 2016 માં શ્યામવરે દાખલ કરાવેલી આ જુબાનીને તપાસ એજંસીએ અદાલત સામે રજૂ કરી. તેણે બે પાનાની જુબાની આપી અને તે સીબીઆઇની ત્રીજી ચાર્જશીટનો ભાગ છે.
શ્યામવરની આ જુબાની ખાસ કરીને પીટર મુખર્જી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે કારણકે પીટરે પૂછપરછમાં આ હત્યાકાંડ અંગેની જાણકારી હોવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. શ્યામવર આ પહેલા આ હત્યામાં પોતાની સંડોવણી કબૂલી ચૂક્યો છે પરંતુ ત્યારે તેણે પીટર મુખર્જીની વિરુદ્ધમાં એક શબ્દ પણ કહ્યો નહોતો. આ કેસના ત્રણ વર્ષ બાદ 2015 માં પહેલી ધરપકડ થઇ હતી. જ્યારે 19 નવેમ્બરે સંજીવ ખન્ના, ઇન્દ્રાણી મુખર્જી અને શ્યામવર રાય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ હતી.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
