For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના સાંસદનો કંગના પર તીખો હુમલો, કોના પગ ચાટવાથી પદ્મશ્રી મળ્યો?

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 નવેમ્બર : બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે. પોતાના નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી કંગનાએ ભૂતકાળમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેને કહ્યું હતું કે એવા પુરાવા છે કે મહાત્મા ગાંધી ભગત સિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલું જ નહીં, અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી અને અન્ય લોકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે સંમત થયા હતા. હવે કંગનાના આ નિવેદનની વ્યાપક નિંદા થઈ રહી છે.

Kripal Tumane

ગુરુવારે મુંબઈ એરપોર્ટથી નીકળતી વખતે શિવસેનાના સાંસદ ક્રિપાલ તુમાનેએ કંગના રાણાવતના નિવેદનની નિંદા કરી અભિનેત્રીને આડે હાથ લીધી. કૃપાલ તુમાનેએ કહ્યું કે, જો મહાત્મા ગાંધી સત્તાના લોભી હોત તો તે સમયે વડા પ્રધા-રાષ્ટ્રપતિ બધુ જ બની શક્યા હોત. કંગના રાણાવતને શું કરીને પદ્મશ્રી મળ્યો, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી પદ્મશ્રી મળ્યો તે દિલ્હીના તમામ સાંસદો અને ધારાસભ્યો આ સારી રીતે જાણે છે. આવી મહિલા વિશે વાત કરવી તુચ્છ ગણાશે, આવી તુચ્છ મહિલા વિશે કશું કહેવા નથી માગતો.

કંગના રાણાવતને સમર્થન ન આપવા અને તેના પૂર્વગ્રહો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત ન કરવા પર મહુઆ મોઇત્રાએ કહ્યું કે, માફ કરજો, તો પછી મારે દરેક સનકી માટે ઊભા રહેવું જોઈએ? મને દરેક યોગ્ય વિચાર ધરાવતા ભારતીય માટે બોલવા માટે પસંદ કરવામાં આવી છે. હાલ દેશમાં અત્યારે દરેક સંઘી દરેક સનકીની રક્ષા કરે છે, તેના બચાવ માટે તેમના પોતાના ઘણા લોકો હોય છે.

English summary
Shiv Sena MP's sharp attack on Kangna, whose feet got Padma Shri?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X