શિવસેના સાંસદનો કંગના પર તીખો હુમલો, કોના પગ ચાટવાથી પદ્મશ્રી મળ્યો?
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે.
મુંબઈ, 18 નવેમ્બર : બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ભીખમાં આઝાદી મળી અને તે બાદ મહાત્મા ગાંધી વિશે કરેલા બેતુકા નિવેદનને લઈને વિવાદમાં છે. પોતાના નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી કંગનાએ ભૂતકાળમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેને કહ્યું હતું કે એવા પુરાવા છે કે મહાત્મા ગાંધી ભગત સિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલું જ નહીં, અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી અને અન્ય લોકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે સંમત થયા હતા. હવે કંગનાના આ નિવેદનની વ્યાપક નિંદા થઈ રહી છે.

ગુરુવારે મુંબઈ એરપોર્ટથી નીકળતી વખતે શિવસેનાના સાંસદ ક્રિપાલ તુમાનેએ કંગના રાણાવતના નિવેદનની નિંદા કરી અભિનેત્રીને આડે હાથ લીધી. કૃપાલ તુમાનેએ કહ્યું કે, જો મહાત્મા ગાંધી સત્તાના લોભી હોત તો તે સમયે વડા પ્રધા-રાષ્ટ્રપતિ બધુ જ બની શક્યા હોત. કંગના રાણાવતને શું કરીને પદ્મશ્રી મળ્યો, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી પદ્મશ્રી મળ્યો તે દિલ્હીના તમામ સાંસદો અને ધારાસભ્યો આ સારી રીતે જાણે છે. આવી મહિલા વિશે વાત કરવી તુચ્છ ગણાશે, આવી તુચ્છ મહિલા વિશે કશું કહેવા નથી માગતો.
#WATCH महात्मा गांधी जी अगर सत्ता के लालची होते तो उस समय प्रधानमंत्री-राष्ट्रपति सब कुछ बन सकते थे। कंगना रनौत को क्या करके पद्म श्री मिला, किसके पांव चाटने से, क्या-क्या चाटने से ये पद मिला है ये दिल्ली के सभी सांसद, विधायक बहुत अच्छे से जानते हैं...: शिवसेना सांसद कृपाल तुमाने pic.twitter.com/luZdgHSpbM
— ANI_HindiNews (@AHindinews) November 18, 2021
કંગના રાણાવતને સમર્થન ન આપવા અને તેના પૂર્વગ્રહો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત ન કરવા પર મહુઆ મોઇત્રાએ કહ્યું કે, માફ કરજો, તો પછી મારે દરેક સનકી માટે ઊભા રહેવું જોઈએ? મને દરેક યોગ્ય વિચાર ધરાવતા ભારતીય માટે બોલવા માટે પસંદ કરવામાં આવી છે. હાલ દેશમાં અત્યારે દરેક સંઘી દરેક સનકીની રક્ષા કરે છે, તેના બચાવ માટે તેમના પોતાના ઘણા લોકો હોય છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
