અચ્છે દિન: ભષ્ટ્ર કર્મચારીઓ માટે મોદી સરકારે બદલાયો આ કાયદો
મોદી સરકારે બદલ્યો છે 50 વર્ષ જૂનો કાયદો. જેના કારણે આવનારા સમયમાં ભષ્ટ્ર અધિકારીની મુશ્કેલી વધશે.ભષ્ટ્ર અઘિકારીઓ પર ફરિયાદ પછી 6 મહિનામાં તપાસ પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્રની મોદી સરકારે સરકારી કાર્યાલયોના ભષ્ટ્ર કર્મચારીઓ સાથે જોડાયેલા એક કાનૂનમાં સંશોધન એટલે કે બદલાવ કર્યો છે. સરકારના આ પગલાંથી હવે આવનારા સમયમાં ભષ્ટ્ર કર્મચારીઓના બહુ દિવસ સુધી સારા દિવસ નહીં માણી શકે. મોદી સરકારે 50 વર્ષ જૂના આ કાનૂનમાં બદલાવ લાવતા ભષ્ટ્ર કર્મચારીઓની સામે દાખલ કરેલી ફરિયાદના કેસની તપાસ 6 મહિનાની અંદર કરવાનું કહ્યું છે. ફરિયાદ દાખલ કર્યા પછી ભષ્ટ્ર કર્મચારીઓ સામે જે લાંબા સમયથી કેસ પેન્ડિંગ રહેતા હતા તેમાં હવે 6 મહિનાની અંદર તપાસ કરી નિરાકરણ લાવવું પડશે. કેન્દ્ર સરકારે પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ (DOPT)ને સેન્ટ્રલ સિવિલ સર્વિસેસ રુલ્સ 1965માં બદલાવ લાવ્યો છે. જેના અંતર્ગત ભષ્ટ્રાચારના ગંભીર આરોપોના મામલે 6 મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો રહેશે. જો કે આ નવા નિયમમાં IAS, IPS, IFS સમતે અન્ય સ્તરના અધિકારીઓને છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર પણ પોતાની રીતે ભષ્ટ્રાચારને નાથવા માટે કામ કરી રહી છે.

ચંદ્ર બાબુ નાયડૂની આંધ્રપ્રદેશ સરકાર એક યોજના ચલાવી રહી છે જેના દ્વારા અત્યાર સુધીમાં 12 લોકોને લાંચની રકમ પરત કરવામાં આવી છે. People First નામના આ અભિયાન હેઠળ 1100 નંબર પર ફોન કરી લોકો લાંચની ફરિયાદ નોંધાવે છે. અને પછીથી તપાસ કરીને સંબંધિત લોકો જોડેથી લાંચની રકમ પરત કરવામાં આવે છે. આ નંબર પર કોલ રિસિવ કરવા માટે 750 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. આમ અલગ અલગ સરકાર દ્વારા ભષ્ટ્રાચાર નામના દાનવને નાથવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ












Click it and Unblock the Notifications
