તો વધુ એક મુખ્યમંત્રી રાજીનામું આપવા જઈ રહ્યાં છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે.
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલો મતભેદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાનાં સમાચાર જોર પકડી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CLP બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે બપોરે 2 વાગે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે અમરિંદરે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તે પાર્ટીમાંથી રાજીનામું આપશે. આ સ્થિતિમાં પંજાબમાં સાંજે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટા સમાચાર આવી શકે છે. હાઈકમાન્ડે વિધાયક દળની બેઠક બોલાવી છે.
અંદરથી સમાચાર આવી રહ્યા છે કે લગભગ 55 ધારાસભ્યો કેપ્ટન વિરુદ્ધ છે. જો કે, આ પહેલા પંજાબની કેપ્ટન સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાને દિલ્હીની ટીમે શાંત કરવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. આ પહેલા પણ ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવા સંકેત આપ્યા હતા, પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ આ પ્રકારનું પગલું ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, પરંતુ આ રાજકીય હંગામો શાંત થયો ન હતો અને ધારાસભ્યોની બયાનબાજી ચાલુ રહી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીસીના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખર, જે એક સમયે મુખ્યમંત્રીના સહાયક હતા, તેમના નામ સહિત કેટલાક નામ મુખ્યમંત્રી પદ માટે વિચારવામાં આવી રહ્યાં છે.
આ રાજકીય હંગામા વચ્ચે સોનિયા ગાંધી અને અમરિંદર સિંહ વચ્ચેની ટેલિફોન વાતચીતના બે અલગ અલગ વર્જન સામે આવ્યા છે. પહેલા મુજબ સોનિયાએ તેમને સવારે ફોન કરીને પાર્ટીની ઈચ્છા વિશે જણાવ્યું. જેથી કેપ્ટન ટૂંક સમયમાં પોતાનું રાજીનામું આપી શકે છે. અન્ય એક સૂત્રએ કહ્યું કે કેપ્ટને સોનિયાને કહ્યું છે કે તે પાર્ટી છોડી દેશે.












Click it and Unblock the Notifications
