તો વધુ એક મુખ્યમંત્રી રાજીનામું આપવા જઈ રહ્યાં છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે.
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલો મતભેદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાનાં સમાચાર જોર પકડી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CLP બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે બપોરે 2 વાગે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે અમરિંદરે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તે પાર્ટીમાંથી રાજીનામું આપશે. આ સ્થિતિમાં પંજાબમાં સાંજે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટા સમાચાર આવી શકે છે. હાઈકમાન્ડે વિધાયક દળની બેઠક બોલાવી છે.
અંદરથી સમાચાર આવી રહ્યા છે કે લગભગ 55 ધારાસભ્યો કેપ્ટન વિરુદ્ધ છે. જો કે, આ પહેલા પંજાબની કેપ્ટન સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાને દિલ્હીની ટીમે શાંત કરવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. આ પહેલા પણ ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવા સંકેત આપ્યા હતા, પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ આ પ્રકારનું પગલું ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, પરંતુ આ રાજકીય હંગામો શાંત થયો ન હતો અને ધારાસભ્યોની બયાનબાજી ચાલુ રહી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠક પહેલા પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીસીના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખર, જે એક સમયે મુખ્યમંત્રીના સહાયક હતા, તેમના નામ સહિત કેટલાક નામ મુખ્યમંત્રી પદ માટે વિચારવામાં આવી રહ્યાં છે.
આ રાજકીય હંગામા વચ્ચે સોનિયા ગાંધી અને અમરિંદર સિંહ વચ્ચેની ટેલિફોન વાતચીતના બે અલગ અલગ વર્જન સામે આવ્યા છે. પહેલા મુજબ સોનિયાએ તેમને સવારે ફોન કરીને પાર્ટીની ઈચ્છા વિશે જણાવ્યું. જેથી કેપ્ટન ટૂંક સમયમાં પોતાનું રાજીનામું આપી શકે છે. અન્ય એક સૂત્રએ કહ્યું કે કેપ્ટને સોનિયાને કહ્યું છે કે તે પાર્ટી છોડી દેશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
