જાસૂસી અને સ્નૂપ પીએમ મોદીની એક માત્ર સફળ યોજના: તેજસ્વી યાદવ
રજા પર મોકલી આપવામાં આવેલા આલોક વર્માના દિલ્હી આવાસ બહાર ચાર લોકોના પકડાઈ જવાનો મામલો હવે ચર્ચામાં આવી રહ્યો છે.
રજા પર મોકલી આપવામાં આવેલા આલોક વર્માના દિલ્હી આવાસ બહાર ચાર લોકોના પકડાઈ જવાનો મામલો હવે ચર્ચામાં આવી રહ્યો છે. બિહારના નેતા તેજસ્વી યાદવે આખા મામલે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે અને તેમને કહ્યું કે ભારતમાં "જાસૂસી અને સ્નૂપ" પીએમ મોદીની એક માત્ર સફળ યોજના છે. તેજસ્વી યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમઓ આદેશ પર સીબીઆઈ અને આઈબી પીએમ મોદીના ફાયદા માટે કામ કરી રહ્યા છે.
તેજસ્વી યાદવે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે પીએમ મોદીએ ભારતના નાગરિકોની આઝાદીની સુરક્ષા કરવાની શપથ લીધી હતી. તેમને આ બાબત યાદ છે કે પછી તેઓ જાણીજોઈને તેનું ઉલ્લંગન કરી રહ્યા છે? સૂત્રો અનુસાર આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો આઈબી ના બતાવવામાં આવી રહ્યા છે. આઈબી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારમાં તેઓ તેમની ડ્યુટી કરી રહ્યા હતા.
“Spy & Snoop in India” is the only successful scheme of Modi Ji. On PMO’s directions CBI & IB are on infiltrating spree for the benefit of Modi Ji.
— Tejashwi Yadav (@yadavtejashwi) October 25, 2018
Did PM take oath to protect the privacy and freedom of its citizens or deliberately violate it through eavesdropping?
આઈબી ઓફિસરો વચ્ચે ચાલી રહેલા વિવાદે રાજનૈતિક ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ આ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. જયારે સરકાર તરફથી બુધવારે નિવેદન આવ્યું હતું કે બંને ઓફિસરો પર આરોપ લાગવાને કારણે તેમને રજા પર મોકલવા માટે સીવીસી ઘ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારપછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેથી નિષ્પક્ષ જાંચ કરાવી શકાય.
આ પણ વાંચો: ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું