For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાસૂસી અને સ્નૂપ પીએમ મોદીની એક માત્ર સફળ યોજના: તેજસ્વી યાદવ

રજા પર મોકલી આપવામાં આવેલા આલોક વર્માના દિલ્હી આવાસ બહાર ચાર લોકોના પકડાઈ જવાનો મામલો હવે ચર્ચામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

રજા પર મોકલી આપવામાં આવેલા આલોક વર્માના દિલ્હી આવાસ બહાર ચાર લોકોના પકડાઈ જવાનો મામલો હવે ચર્ચામાં આવી રહ્યો છે. બિહારના નેતા તેજસ્વી યાદવે આખા મામલે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે અને તેમને કહ્યું કે ભારતમાં "જાસૂસી અને સ્નૂપ" પીએમ મોદીની એક માત્ર સફળ યોજના છે. તેજસ્વી યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમઓ આદેશ પર સીબીઆઈ અને આઈબી પીએમ મોદીના ફાયદા માટે કામ કરી રહ્યા છે.

tejashwi yadav

તેજસ્વી યાદવે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે પીએમ મોદીએ ભારતના નાગરિકોની આઝાદીની સુરક્ષા કરવાની શપથ લીધી હતી. તેમને આ બાબત યાદ છે કે પછી તેઓ જાણીજોઈને તેનું ઉલ્લંગન કરી રહ્યા છે? સૂત્રો અનુસાર આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો આઈબી ના બતાવવામાં આવી રહ્યા છે. આઈબી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારમાં તેઓ તેમની ડ્યુટી કરી રહ્યા હતા.

આઈબી ઓફિસરો વચ્ચે ચાલી રહેલા વિવાદે રાજનૈતિક ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ આ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. જયારે સરકાર તરફથી બુધવારે નિવેદન આવ્યું હતું કે બંને ઓફિસરો પર આરોપ લાગવાને કારણે તેમને રજા પર મોકલવા માટે સીવીસી ઘ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારપછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેથી નિષ્પક્ષ જાંચ કરાવી શકાય.

આ પણ વાંચો: ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

English summary
Spy Snoop in India is the only successful scheme of Modi Ji says tejashwi yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X