માત્ર 18 કલાકમાં 5મી શ્રેણીમાં પહોંચી ગયું સુપર સાઈક્લોન અમ્ફાન, ભારે તબાહી મચાવી શકે
માત્ર 18 કલાકમાં 5મી શ્રેણીમાં પહોંચી ગયું સુપર સાઈક્લોન અમ્ફાન, ભારે તબાહી મચાવી શકે
નવી દિલ્હીઃ અમ્ફાન સુપર સાઈક્લોન 1999 બાદથી બંગાળની ખાડીમાં ઓરિસ્સાના અત્યાર સુધીના સૌથી ખતરનાક તોફાન તરીકે સામે આવ્યું છે.આ તોફાન પશ્ચિમ બંગાળના તટ પર પહોંચી ગયું છે અને આજે સવારે ઘણો તેજ વરસાદ અને આંધી તોફાન પણ આવ્યો. હવામાન વિભાગ મુજબ આ તોફા હવે પહેલી શ્રેણીથી પાંચમી શ્રેણીમાં પહોંચી ગયું છે, મહત્વી વાત એ છે કે માત્ર 18 કલાકમાં આ તોફાન પહેલેથી પાંચમી શ્રેણીમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સુપર સાઈક્લોન તરીકે તેની હવાની ગતિ 200 કિમી પ્રતિ કલાકથી 240 કિમી પ્રતિ કલાક સુધીની છે. પરંતુ જ્યારે આ પશ્ચિમ બંગાળના તટ પર પહોંચ્યું તો તેની ગતિ 165-185 કિમી પ્રતિ કલાક હતી. જે આ ક્ષેત્રમાં ઘણી તબાહી મચાવી શકે છે, મોટા સ્તરે નુકસાન પહોંચાડી શકે છે.

અમ્ફાન તબાહી મચાવી શકે
પશ્ચિમી મધ્ય બંગાળની ખાડીની ઉપરથી થતા આ બંગાળ અને ઓરિસ્સાના તટ પર પહોંચી ચૂક્યું છે અને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ ચૂક્યું છે. જેને લઈ આજ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે, આ તોફાન આજ ભારે તબાહી મચાવી શક છે, જેને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે. તોફાનને પગલે આજે ભારે તબાહીની આશંકા છે, બંગાળ અને ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં આજે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ અમ્ફાન તોફાનને જોતા આસામ સરકારે પણ અલર્ટ જાહેર કરી દીધું છે.

લાખો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા
ઓરિસ્સાના પ્રભાવિત 13 જિલ્લાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, ચક્રવાતના કારણે આ રાજ્યોમાં તેજ ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાત ઓરિસ્સાના પારાદીપથી લગભગ 520 કિમી દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળના દીઘાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણી પશ્ચિમમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત છે. આ ગતિ સાથે ઉત્તર-ઉત્તરી પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

પુખ્ત તૈયારી
અમ્ફાનથી નિપટવા માટે રાજ્યોની સાથો સાથ રાષ્ટ્રીય સ્તરે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ હાઈઅલર્ટ છે, એનડીઆરએફ ચીફ એસ એન પ્રધાન મંગળવાર પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે આપણે બેવડી આપદાથી લડી રહ્યા છે, આ સમય આપણા માટે ઘણો પડકારજનક છે, જો જરૂરત પડશે તો તરત જ એરફોર્સના વિમાનથી ટીમોને પ્રભાવિત જગ્યા લાવવામાં આવશે જ્યાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી જણાવ્યું કે રાજ્યમાં અમ્ફાન ચક્રવાત નજીક પહોંચતા પહેલા 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
