અજબ પહેલીઃ ડોક્ટર કહે છે મૃત, શિષ્યોના મતે બાબા છે સમાધીમાં
ચંદીગઢ, 5 ફેબ્રુઆરીઃ પંજાબના એક ધર્મગરુને લઇને એક અજબ પહેલી ઉદ્ભવી છે. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના પ્રમુખ આશુતોષ મહારાજને છ દિવસ પૂર્વે ડોક્ટર્સ દ્વારા ક્લિનિકલી ડેડ ઘોષિત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમના શિષ્યો આ વાતનો સ્વિકાર કરવા તૈયાર નથી. તેઓ કહીં રહ્યાં છે કે, આશુતોષ મહારાજ સમાધિમાં લીન છે.
આ વચ્ચે તેમના પૂર્વ ડ્રાઇવરે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે કે, આશુતોષ મહારાજ હવે આ દુનિયા નથી અને તેમના કેટલાક સંચાલક ડેરેની હજારો કરોડની સંપત્તિ હડપવાની વેતરણમાં છે. પંજાબના નૂરમહલ સ્થિત દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના પ્રમુખ આશુતોષ મહારાજ જીવિત છે કે નહીં, તેને લઇને અફવાઓનો માહોલ ગરમાયો છે.
વનઇન્ડિયા સાથે વાત કરતા અધ્યાત્મના જાણકાર જયંત શાહે કહ્યું છે કે, સમાધિ એક માનસિક સ્થિતિ છે. તેમાં હૃદય ક્યારેય બંધ પડતું નથી. તેમના શિષ્યાઓ જે રીતે રામકૃષ્ણ પરંમહંસનો દાખલો આપે છે કે, રામૃષ્ણ પરમહંસ સમાધિમાં વર્ષો સુધી જડ અવસ્થામાં રહેતા હતા, પરંતુ આ દાખલો આશુતોષ મહારાજ સાથે બંધ બેસી ના શકે. કારણ કે, જડ અવસ્થામાં શરીર બહારથી જડવત લાગતુ હોય પણ શરીરની આતંરિક ક્રિયાઓ સુપેરે કામ કરી હોય અને મુખ્યત્વે હૃદય સતત ધબકતું જ હોય છે. જો હૃદય ધબકતું ના હોય તો એનો અર્થ એ થાય છે કે માણસ હયાત નથી.

ડોક્ટરે કહ્યું- હૃદય બંધ પડી ગયું છે
27 જાન્યુઆરીએ રાત્રે આશુતોષ મહારાજના અસામાન્ય શારીરિક લક્ષ્ણોને જોઇને તેમના શિષ્યોએ એપોલો હોસ્પિટલ(લુધિયાણા)થી ડોક્ટર્સની ટીમ બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારે ડોક્ટર્સે મહારાજને મૃત જાહેર કરી દીધા હતા અને કહ્યું હતું કે, તેમનું હૃદય ધડકી રહ્યું રહ્યું નથી અને નાડી પણ ચાલી રહી નથી.

શિષ્યોનો દાવો- 12 વર્ષ પહેલા પણ મહારાજે લીધી હતી સમાધિ
આશુતોષ મહારાજના શિષ્યોનું કહેવું છે કે, મહારાજે 12 વર્ષ પહેલા પણ આ પ્રકારે સમાધિ લીધી હતી. સ્વામી વિશાલાનંદ અનુસાર મહારાજજી ‘ગહન સમાધિ'માં લીન છે. જેના કારણે શરીર નિષ્ક્રિય થઇ જાય છે. જડ શરીરની આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ક્લિનિકલ ડેથ સિંપટમ્સ કહે છે.

મહારાજના શરીરને ડીપ ફ્રીઝરમાં રખાયું
ગત કાલથી સંચાલકોએ આશુતોષ મહારાજના શરીરને ડીપ ફ્રીઝરમાં રાખી દીધું છે અને તેઓ એ વાતનો જરા પણ સ્વિકાર કરવા તૈયાર નથી કે આશુતોષ મહારાજ હવે હયાત નથી. તેમનો તર્ક છે કે હિમાલયમાં 0 ડિગ્રીથી પણ ઓછું તાપમાન હોય છે અને જ્યારે સંત લોકો સમાધિમાં જતા રહે છે, તો આપણી ફરજ છે કે આપણે તેમના શરીરનું ધ્યાન રાખીએ.

આશુતોષ મહારાજ સાથે જોડાયેલી અન્ય બાબતો
આશુતોષ મહારાજે 1983માં જલંધરના નૂરમહલમાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનની સ્થાપના કરી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અહી આવે છે. એક ગર્વનિંગ બોડી છે, જે ધાર્મિક પ્રચારની સાથોસાથ આયુર્વે મેડિસિન બનાવે છે, સાહિત્ય પ્રકાશન, મીડિયા અને આશ્રમનું સંચાલન કરે છે. પંજાબ ઉપરાંત, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને એમપીમાં આશ્રમની શાખાઓ છે. દેશભરમાં સંસ્થાન સાથે હજારો અનુયાયીઓ જોડાયેલા છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
