સીબીઆઈ ડિરેક્ટરના પદ પરથી હટાવાયા બાદ ફાયર સેફ્ટી વિભાગમાં આલોક વર્માને મોકલાયા
આલોક વર્માને ફાયર સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યા
નવી દિલ્હીઃ દેશની નંબર 1 એજન્સી સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટરના પદ પરથી છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા બાદ સિલેક્શન પેનલની મીટિંગ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે થયેલ બેઠક બાદ સીબીઆઈ પદથી હટાવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકારના ફેસલા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે તપાસથી ડરીને પીએમ મોદીએ આ ફેસલો લીધો છે.

જ્યારે સૂત્રોથી મળેલ જાણકારી મુજબ આલોક વર્માને ફાય સેફ્ટી વિભાગના ડીજી બનાવવામાં આવ્યા છે. જ્યારે અહેવાલ એમ પણ છે કે આલોક વર્માને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈના નંબર 1 આલોક વર્મા પર સીબીઆઈના નંબર 2 પર તહેનાત રાકેશ અસ્થાનાએ જ્યારે એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, જે બાદ આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી. સીબીઆઈના બે વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે ચાલી રહેલ આ આરોપ-પ્રત્યારોપ બાદ સરકારે બંનેને રજા પર મોકલી દીધા.
સરકાના ફેસલા વિરુદ્ધ આલોક વર્મા સુપ્રીમ કોર્ટ ગયા અને તેમણે લગભગ દોઢ મહિના બાદ કેટલીય શરતો સાથે રાહત મળી. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલવાના ફેસલાને ખોટો ઠેરવ્યો. કોર્ટના ફેસલા બાદ તેમણે મંગળવારે પોતાનો પદભા સંભાળ્યો અને આવતાની સાથે જ પોતાની ગેરહાજરીમાં થયેલ અધિકારીઓના ટ્રાન્સફરને પલટી દીધાં. આ અનુપ્રસંગે પીએમની આગેવાની વાળી પસંદગી સમિતિની બુધવારે રાત્રે બેઠક થઈ અને ગુરુવારે ફરીથી એક બેઠક કરવામાં આવી, જેમાં આલોક વર્માને સીબીઆઈ ચીફના પદ પરથી હટાવવાનો ફેસલો લીધો છે.
આ પણ વાંચો- સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા, કોંગ્રેસે કહ્યું- તપાસથી ડરીને મોદીએ લીધો ફેસલો
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
