ત્રીજો મોર્ચો બનાવવો સરળ નથી: પ્રકાશ કરાત

તેમણે જણાવ્યું કે 'ત્રીજો મોર્ચો નીતિયો અને કાર્યક્રમોના આધાર પર બનાવી શકાય છે. જેના માટે રાજનીતિમાં ગુણવત્તાપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. કેટલાંક રાજનૈતિક દળો પોતાનું વલણ બદલી લે છે.' માકપા નેતાએ જણાવ્યું કે આવનાર સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની હાર થશે, વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટીને પણ લાભ નહીં થાય. આવામાં વામપંથી દળોને મજબૂત બનાવવાની આવશ્યકતા છે.
તેમણે જણાવ્યું કે 'ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ, સમાજવાદી પાર્ટી, બીજૂ જનતા દળ, જનતા દળની તાકત સંયૂક્તરીતે કોંગ્રેસ તથા ભાજપાથી અધિક છે. પરંતુ આ પાર્ટીઓનું રાજનૈતિક ચરિત્ર્યવાદ તકવાદી છે. જેના કારણે ત્રીજો મોરચો સરળ નથી.'












Click it and Unblock the Notifications
