For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની જ બનશે સરકાર'

|
Google Oneindia Gujarati News

mulayam singh yadav
કોલકાતા, 1 જુલાઇ : ભલે લોકસભાની ચૂંટણીને હજીવાર હોય, પરંતુ ચૂંટણી નિવેદનોને જોતા એવું લાગે છે કે રાજનૈતિક પાર્ટીઓ પોતાની કમર કસી ચૂકી છે. સાંઠ-ગાંઠની રાજનીતિનો દૌર પણ શરૂ થઇ ગયો છે. ત્રીજા મોર્ચાની સરકારનું સપનું સેવી રહેલા સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તૈયારીઓ પણ ધૂમ-ધામથી ચાલી રહી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણીમાં લોકો એન્ટી કોંગ્રેસ અને એન્ટી બીજેપીની જ સરકાર બનાવીશું, પરંતુ મુલાયમ સિંહે એ વાતની જરૂર સ્પષ્ટતા કરી કે ત્રીજા મોર્ચાની સંભાવના હંમેશા ચૂંટણી બાદ બને છે. મુલાયમની માન્યતા છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપીના બદલે વૈકલ્પીક મોર્ચાને બહુમત મળશે.

કોલકાતા પ્રવાસ પર આવેલા મુલાયમ સિંહે કહ્યું કે ત્રીજા મોર્ચાનું ગઠન હંમેશા ચૂંટણી બાદ જ થાય છે, ચૂંટણી પહેલા ક્યારેય નહીં. વિશ્વાસની સાથે બોલી રહેલા મુલાયમ સિંહે જણાવ્યું કે એ પાક્કું છે કે ત્રીજા દળનું ગઠન કરનારા પક્ષોને જ ચૂંટણીમાં બહુમત મળશે.

તૃણમુલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી દ્વારા ફેડરલ ફ્રંટનું ગઠન કરવા માટે સ્થાનિય દળોને એકજૂટ કરવાના આહ્વાન પર મુલાયમ સિંહે જણાવ્યું કે હાલમાં તેમને આ મુદ્દા પર વાત કરવાની છે.

English summary
Third front will be make government said Mulayam singh yadav in Kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X