આ બે મહિલાઓને કારણે ફરી પીએમ બનશે મોદી
લોકસભા ચૂંટણી નજીક છે તેવી સ્થિતિમાં જીત અંગે ઘણી ધારણાઓ કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર પ્રોડ્યૂસર કમાલ ખાને ચૂંટણી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
લોકસભા ચૂંટણી નજીક છે તેવી સ્થિતિમાં જીત અંગે ઘણી ધારણાઓ કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર પ્રોડ્યૂસર કમાલ ખાને ચૂંટણી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે ચૂંટણી ભાજપની જીત નક્કી છે અને બે મહિલાઓ તેનું મોટું કારણ બનશે. કમાલ રાશિદ ખાને એક ટવિટ ઘ્વારા આ વાત કહી અને તેનું કારણ પણ જણાવ્યું.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ

આ બે મહિલાઓને કારણે ફરી પીએમ બનશે મોદી
કમાલ રાશિદ ખાને જણાવ્યું કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બસપા સુપ્રીમો માયાવતીને કારણે નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે. કમાલ રાશિદ ખાને ટવિટ કરીને લખ્યું કે મમતા દીદીએ કોઈ પણ દળ સાથે ગઠબંધન નહીં કર્યું કારણકે તે પોતાના માટે પીએમ પદ ઈચ્છે છે. માયાવતીએ પણ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કર્યું કારણકે તેઓ પોતે પીએમ બનવા માંગે છે. આ બે મહિલાઓને કારણે ભાજપ વધારે સીટો જીતશે. આ મોદીનું સમર્થન કરી રહ્યા છે.
|
કમાલ રાશિદ ખાન માયાવતી પર પ્રહાર કરી ચુક્યા છે
કમાલ રાશિદ ખાન ઘ્વારા હાલમાં જ ટવિટ કરીને કહેવામાં આવ્યું કે માયાવતીએ કોઈ ખાસ કારણથી યુપીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કર્યું. આપને જણાવી દઈએ કે કમાલ ખાન હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

પીએમ મોદી પર પ્રહાર કર્યો
કમાલ રાશિદ ખાને થોડા સમય પહેલા જ નોટબંધી અંગે પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો. કમાલે કહ્યું કે નોટબંધી એક ઘોટાળો છે. જો નોટબંધીએ બધી જ બ્લેકમની ખતમ થઇ ગઈ હોય તો ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પાસે આટલી માટી માત્રામાં કાળું નાણું કેવી રીતે આવ્યું.












Click it and Unblock the Notifications
