મહાકુંભ: આજે મૌની અમાવસ, ત્રણ કરોડ શ્રદ્ધાળુઓની ડૂબકી
ઇલાહાબાદ, 10 ફેબ્રુઆરી: આજે મૌની અમાવસ છે અને આ દરમિયાન ઇલાહાબાદના મહાકુંભમાં બીજું શાહી સ્નાન જારી છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર આજે મૌની અમાવસ હોવાથી લગભગ ત્રણ કરોડ શ્રદ્ધાળુ સંગમમાં ડૂબકી લગાવશે.
શનિવારે સવા કરોડ લોકોએ ડૂબકી લગાવી. અમાવસ્યા શનિવારે બપોરે 2 વાગ્યાને 48 મિનિટે જ શરૂ થઇને આજે બપોરે 1 વાગ્યાને 28 મિનિટ સુધી જારી રહેશે. ઉદયાતિથિ એટલે કે સૂર્યોદયના સમયે અમાવસ કાળ હોવાના કારણે આજની માન્યતા વધારે છે.













Click it and Unblock the Notifications
