'દેવાલય પહેલા સૌચાલય', તોગડિયાએ કહ્યું 'હિન્દુ ધર્મનું અપમાન'

પ્રવીણ તોગડિયાએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદીનું આ નિવેદન હિન્દુ ધર્મનું અપમાન છે. તેમણે જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીના આ નિવેદનથી ઘણા હેરાન છે. જોકે દિલ્હીમાં યુવાનો માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પહેલા શૌચાલયો હોય, બાદમાં દેવાલય. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું છે.
તોગડિયાએ બીજેપી નેતાઓને જણાવ્યું છે કે મોદી દ્વારા કરવામાં આવેલ આ ટિપ્પણીથી હિન્દુઓની લાગણી દુભાઇ છે, માટે બીજેપી નેતાઓ મોદી પર એ પ્રકારે દબાણ લાવે જે રીતે તેઓ જયરામ રમેશ પર લાવ્યા હતા.
મોદીના આ નિવેદનને બીજેપી નેતા બલબીર પુંજ સ્વસ્છતા માટે સારી એવી પહેલ દર્શાવી રહ્યા છે, જ્યારે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને આના વખાણ કર્યા છે. તેમણે તો આને સ્વામી વિવેકાનંદના માર્ગ પર ચાલવા જેવું ગણાવ્યું અને એ પણ યાદ અપાવ્યું કે 40 વર્ષ પહેલા લોહિયાએ આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો હતો. લોકો તેમના પર હસી રહ્યા હતા અને અંગ્રેજી મીડિયાએ લોહિયાની મજાક બનાની હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પહેલા આવા જ પ્રકારનું નિવેદન કર્યું હતું. ત્યારે બીજેપી અને ઘણા હિન્દુવાદી સંગઠનોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. જોકે મોદીનો વિરોધ કરનારા જયરામ રમેશ પોતાના નિવેદન પર આજે પણ મક્કમ છે અને જણાવે છે કે તેમણે મંદિર જેવો કોઇ શબ્દનો પ્રયોગ ન્હોતો કર્યો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
