આ છે જયલલિતાની કથિત દિકરીની સચ્ચાઇ!
સોશિયલ મીડિયા પર જયલલિતાની દિકરીની તસવીર વાયરલ થઇ છે. ગાયક ચિન્મયીએ ખોલી આ પોસ્ટની પોલ!
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક પ્રકારની અફવોઓને હવા મળી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર જયલલિતાના મૃત્યુનું રહસ્ય, તેમના ચહેરા પર જોવા મળેલા નિશાન ઉપરાંત વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર જયલલિતાની કથિત દિકરીની તસવીર વાયરલ થઇ છે.
અહીં વાંચોઃ જયલલિતાનું નિધન કેમ રહસ્યમયી? અભિનેત્રી ગૌતમીની PM પાસે તપાસની માંગ

અહીં વાંચોઃ જયલલિતાની તેમના દિકરા સુધાકરન સાથેના સંબંધોની કહાની
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને જયલલિતાની કથિત દિકરી હર્ષાની આ તસવીર અંગે ચિન્મયીએ ખુલાસો કર્યો છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદે આ વાયરલ પોસ્ટ અંગે પોતાના ટ્વીટર અને ફેસબૂક એકાઉન્ટ પર ખુલાસો કરતા કહ્યું છે કે, જે છોકરીને જયલલિતાની દિકરી ગણાવવામાં આવી રહી છે તેને તે ઓળખે છે.
The lady in this photograph belongs to an illustrious family we are close to. Please dont trust ridiculous whatsapp forwards. pic.twitter.com/7qFIaX1u1F
— Chinmayi Sripaada (@Chinmayi) December 11, 2016
સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ થઇ છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જયલલિતાની એક દિકરી હતી, જેનું નામ શ્રી હર્ષા હતું અને તેનો જન્મ 70ના દાયકામાં થયો હતો. આ પોસ્ટની સાથે જ જયલલિતાની કથિત દિકરીની એક તસવીર પણ જાહેર કરવામાં આવી છે.
She belongs to renowned Mridangam Vidwan Trivandrum Balaji’s family. He acts in these web series called ‘HusBanned’.
— Chinmayi Sripaada (@Chinmayi) December 11, 2016
સોશિયલ મીડિયા પર લોકો આડેધડ આ પોસ્ટ શેર કરી રહ્યા હતા, એવામાં ચિન્મયીએ આ પોસ્ટની પોલ ખોલવાનું કામ કર્યું છે. ચિન્મયીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, જયલલિતાની દિકરીના નામે જે છોકરીની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, તે મૃદાંગમ્ વિદ્વાન વી.બાલાજીના પરિવારની છે અને સાથે જ ચિન્મયીએ આ છોકરીને પોતે ઓળખતી હોવાની માહિતી પણ આપી છે.
અહીં વાંચોઃ જયલલિતાની રોયલ લાઇફસ્ટાયલ
સાથે જ ચિન્મયીએ લોકોને જયલલિતાની કથિત દિકરીની પોસ્ટ શેર ન કરવાની પણ સલાહ આપી છે. તેણે લખ્યું છે કે, આ પોસ્ટ કોઇ અસંતુલિત વ્યક્તિએ લખી છે, જેમાં કોઇ હકીકત નથી. આ પોસ્ટ અંગે એઆઇએડીએમકે એ પણ સફાઇ આપી છે અને આ પોસ્ટને ખોટી જાહેર કરી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
