આ છે જયલલિતાની કથિત દિકરીની સચ્ચાઇ!

સોશિયલ મીડિયા પર જયલલિતાની દિકરીની તસવીર વાયરલ થઇ છે. ગાયક ચિન્મયીએ ખોલી આ પોસ્ટની પોલ!

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક પ્રકારની અફવોઓને હવા મળી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર જયલલિતાના મૃત્યુનું રહસ્ય, તેમના ચહેરા પર જોવા મળેલા નિશાન ઉપરાંત વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર જયલલિતાની કથિત દિકરીની તસવીર વાયરલ થઇ છે.

અહીં વાંચોઃ જયલલિતાનું નિધન કેમ રહસ્યમયી? અભિનેત્રી ગૌતમીની PM પાસે તપાસની માંગ

harsha

અહીં વાંચોઃ જયલલિતાની તેમના દિકરા સુધાકરન સાથેના સંબંધોની કહાની

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અને જયલલિતાની કથિત દિકરી હર્ષાની આ તસવીર અંગે ચિન્મયીએ ખુલાસો કર્યો છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદે આ વાયરલ પોસ્ટ અંગે પોતાના ટ્વીટર અને ફેસબૂક એકાઉન્ટ પર ખુલાસો કરતા કહ્યું છે કે, જે છોકરીને જયલલિતાની દિકરી ગણાવવામાં આવી રહી છે તેને તે ઓળખે છે.

સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ થઇ છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જયલલિતાની એક દિકરી હતી, જેનું નામ શ્રી હર્ષા હતું અને તેનો જન્મ 70ના દાયકામાં થયો હતો. આ પોસ્ટની સાથે જ જયલલિતાની કથિત દિકરીની એક તસવીર પણ જાહેર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર લોકો આડેધડ આ પોસ્ટ શેર કરી રહ્યા હતા, એવામાં ચિન્મયીએ આ પોસ્ટની પોલ ખોલવાનું કામ કર્યું છે. ચિન્મયીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, જયલલિતાની દિકરીના નામે જે છોકરીની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, તે મૃદાંગમ્ વિદ્વાન વી.બાલાજીના પરિવારની છે અને સાથે જ ચિન્મયીએ આ છોકરીને પોતે ઓળખતી હોવાની માહિતી પણ આપી છે.

અહીં વાંચોઃ જયલલિતાની રોયલ લાઇફસ્ટાયલ

સાથે જ ચિન્મયીએ લોકોને જયલલિતાની કથિત દિકરીની પોસ્ટ શેર ન કરવાની પણ સલાહ આપી છે. તેણે લખ્યું છે કે, આ પોસ્ટ કોઇ અસંતુલિત વ્યક્તિએ લખી છે, જેમાં કોઇ હકીકત નથી. આ પોસ્ટ અંગે એઆઇએડીએમકે એ પણ સફાઇ આપી છે અને આ પોસ્ટને ખોટી જાહેર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X