અન્ય કોઇ શિવસેના પ્રમુખ નહીં હોયઃ ઉદ્ધવ ઠાકરે

પાર્ટીના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે કહ્યું કે, બીજુ કોઇ શિવસેના પ્રમુખ નહીં હોય. તેમણે કહ્યુ કે તે શિવસેના પ્રમુખનું સ્થાન નહીં લે, કારણ કે આ સ્થાન હંમેશા તેમના દિવંગત પિતા બાળ ઠાકરેની રહેશે.
તેમણે કહ્યું કે બાળ ઠાકરે હંમેશા જ શિવસેના પ્રમુખ અને હિન્દુહદય સમ્રાટ રહેશે, આ ઉપાધી માત્ર તેમના જ વ્યક્તિત્વ માટે યોગ્ય છે. બાળ ઠાકરેનું 17 નવેમ્બરે નિધન થયું હતું. ઉદ્ધવે જો કે, ઔપચારિક રિતે શિવેસના પ્રમુખના પદ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો, પરંતુ પાર્ટીએ નિર્ણય કરવાના તમામ અધિકાર સોંપી દીધા છે. અત્યારસુધી આ અધિકાર બાળ ઠાકરે પાસે હતા.
પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે, શિવસેના નેતાઓની શનિવારે મહત્વની બેઠક થઇ, જેમાં નક્કી કરવામાં આવ્યુ કે બાળા સાહેબ પાસે જે અધિકાર હતા, તે ઉદ્ધવને આપવું જોઇએ. તેમણે કહ્યું કે બાળા સાહેબના સ્વપ્ન પૂરા કરવા માટે ઉદ્ધવે નેતૃત્વમાં પાર્ટી એકજૂટ રહી.
બેઠક ઠાકરે પરિવારમાં બાંદ્રા ઉપનગર સ્થિત આવાસ માતોશ્રીના બીજા માળે થઇ, જ્યાં બાળ ઠાકરેમાં રહેતા હતા. રાઉતે કહ્યું બેઠક દરમિયાન ભાવનાત્મક માહોલ હતા. આ બેઠકમાં રાઉત, લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશી, સુધીર જોશી, લીલાધર ડાકે, સુભાષ દેસાઇ, રામદાસ કદમ અને ગજાનન કીર્તીકરમાં હાજર હતા.












Click it and Unblock the Notifications
