ઉત્તરાખંડ તારાજી: એક મહિના બાદ પણ 5583 લોકો ગુમ

સરકારે એક મહિના સુધી કોઇપણ ગુમ વ્યક્તિની જાણકારી મળી શકશે નહી તો તેને પણ મૃત માનવામાં આવશે અને તેના વળતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ઉત્તરાખંડમાં હજુ સુધી 5583 લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં ગુમ લોકોની યાદી છે અને સરકાર આ ગુમ લોકોને મૃતકોની યાદીમાં નાખી શકે છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કહ્યું હતું કે બીજા રાજ્યોના મૃતકો વિશે સંબંધિત રાજ્યોના મૃખ્ય સચિવોને સૂચના આપી દેવામાં આવી છે. મૃત લોકોને આશ્રિતોને એક શપથ-પત્રની સાથે તાત્કાલિક વળતર આપવામાં આવશે અને જો કોઇ વ્યક્તિ જીવિત મળી આવશે તો તેના પરિવારે આ રકમ પરત આપવી પડશે.












Click it and Unblock the Notifications
