Uttarakhand: તપોવનની ટનલનું પ્રવેશ દ્વાર થયુ સાફ, ફસાયેલા મજુરો સુધી જલ્દી પહોંચી શકે છે સેના
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલા ભયાનક પૂર બાદ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા ભારતીય સેનાએ કહ્યું છે કે તપોવન સ્થિતટનલના પ્રવેશ દ્વારા તમામ ભંગાર સાફ થઈ ગયો છે અને હવે અંદર જવાનો રસ્તો રસ્તો સાફ થઈ ગયો છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલા ભયાનક પૂર બાદ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા ભારતીય સેનાએ કહ્યું છે કે તપોવન સ્થિતટનલના પ્રવેશ દ્વારા તમામ ભંગાર સાફ થઈ ગયો છે અને હવે અંદર જવાનો રસ્તો રસ્તો સાફ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, હવે અમે ટનલની અંદર ફસાયેલા મજૂરોથી થોડા અંતર દુર છીએ. આર્મીએ ટ્વીટ કર્યું, "એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ સહિત આર્મીના જવાનોના અથાક પ્રયત્નો બાદ ટનલનું મોં સાફ કરવામાં આવ્યું. જનરેટર અને સર્ચ લાઇટ લગાવીને રાતભર ક્રેન સાથે કામ ચાલુ રાખ્યું. પ્રાદેશિક હોસ્પિટલ સાઇટ પર તબીબી સહાય પૂરી પાડી રહ્યાં છે."

તમને જણાવી દઈએ કે આ ટનલમાં 30 જેટલા કામદારો ફસાય હોવાની આશંકા છે. ભારતીય સેનાના જવાનોએ આ ટનલની સફાઇ માટે આખી રાત સફાઇ કામ ચાલુ રાખ્યું હતું. આ ટનલમાં મોટી સંખ્યામાં કાટમાળ જમા થઈ ગયો હતો. આઇટીબીપીની ટીમો 1,500-મીટર લાંબી ટનલ સાફ કરતી જોવા મળી હતી. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટનલનો સાચો રસ્તો શોધવા માટે નકશાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે આ ટનલમાં એક જ પ્રવેશદ્વાર છે. આઇટીબીપી બચાવ ટીમ ટનલની પાસે લાકડાના સુંવાળા પાટિયા વહન કરતી જોવા મળી હતી, જેનો ઉપયોગ દોરડાથી ફસાયેલા લોકોને ખેંચવા માટે પ્લેટફોર્મ બનાવવા માટે કરવામાં આવશે.
આ સિવાય ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે લશ્કરી કૂતરાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે દિવસ વીતતા પહેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરને બચાવ ટીમોના પ્રવેશ માટે લાવવામાં આવ્યા હતા. ઉંચા ઇલાકાઓમાં હિમપ્રપાતનાં જોખમો શોધવા સેનાનું અભિયાન સતત ચાલુ છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ પૂરઃ 5 પુલ નષ્ટ, 13 ગામો સંપર્કવિહોણા, હવાઈ માર્ગથી મોકલાઈ રહ્યુ છે ભોજન












Click it and Unblock the Notifications
