વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરી ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામની અદાલતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણીની 25 એપ્રીલના રોજ એક નવા કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી હતી.
ગુવાહાટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામની અદાલતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણીની 25 એપ્રીલના રોજ એક નવા કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે 24 એપ્રીલના રોજ ટ્વિટ કેસમાં જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

આસામના બરપેટાની પોલીસ દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવા આવી હતી. જોકે, આસામ પોલીસે હજૂ સુધી જણાવ્યું નથી કે, કયા કેસમાં ગુજરાતના ધારાસભ્યની ફરી ધરપકડ કરવામાં આવી છે.
આસામના કોકરાઝારના સ્થાનિક BJP નેતાએ તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ જીગ્નેશ મેવાણીની ગુરુવારના રોજ ગુજરાતના પાલનપુરથી આસામ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણી વડાપ્રધાન મોદીના કટ્ટર ટીકાકાર છે. તેમની ધરપકડને PMO (વડાપ્રધાન કાર્યાલય) દ્વારા બદલાની રાજનીતિ ગણાવામાં આવી રહી છે.
જીગ્નેશ મેવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ BJP અને RSSનું કાવતરું છે. તેઓએ મારી છબી ખરાબ કરવા માટે આ કર્યું છે. તેઓ આ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. તેઓએ આ પહેલા રોહિત વેમુલા સાથે કર્યું છે, તેઓએ ચંદ્રશેખર આઝાદ સાથે પણ આ કર્યું છે, હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે. ૃ
41 વર્ષીય પર ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ સંબંધિત ગુના, ધાર્મિક લાગણીઓ ભડકાવવા અને ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે શાંતિનો ભંગ કરી શકે છે. તેમની ફરિયાદમાં BJP નેતા અરૂપ કુમાર ડેએ આરોપ લગાવ્યો છે કે, જીગ્નેશ મેવાણી મેવાણીના ટ્વીટ કોઈ ચોક્કસ સમુદાયના લોકોના એક વર્ગને ઉશ્કેરવાની સંભાવના છે.
NDTVને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ડેએ જણાવ્યું છે કે, જીગ્નેશ મેવાણી પોતાના પદ દ્વારા લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હંમેશા વડાપ્રધાન મોદી વિશે નકારાત્મક બોલે છે.
ડેએ જણાવ્યું હતું કે, અમે નસીબદાર છીએ કે, મોદીજી આપણા વડાપ્રધાન તરીકે છે અને મેવાણી તેમનું નામ તાજેતરની હિંસાની ઘટનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું તેના માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે? તેઓ કહે છે કે, ગોડસે વડાપ્રધાન મોદીના ભગવાન છે, તેઓ શું સાબિતી કરવા માંગે છે? કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ફરિયાદના 24 કલાકની અંદર ધરપકડ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે રાજ્યમાં ભાજપ 1995 થી શાસન કરી રહ્યું છે.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, મોદીજી, તમે રાજ્યની મશીનરીનો દુરુપયોગ કરીને અસંમતિને કચડી નાખવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ તમે ક્યારેય સત્યને કેદ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણી બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, તેઓ આગામી ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડશે.
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
