વૈષ્ણોદેવી ભાગદોડઃ તપાસ પેનલની રચના, 7 દિવસમાં રિપોર્ટ આપશે
વૈષ્ણોદેવી ભાગદોડઃ તપાસ પેનલની રચના, 7 દિવસમાં રિપોર્ટ આપશે
નવા વર્ષના અવસર પર જમ્મૂમાં માતા વૈષ્ણો દેવી ભવનમાં મોડી રાતે 1 (જાન્યુઆરી)એ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માતાના દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓની ભીડમાં અચાનક ભાગદોડ મચી જવા પામી હતી, જેના કારણે 12 લોકોનાં મોત થયાં છે જ્યારે 16 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના મોડી રાતે 2.45 વાગ્યાની જણાવાઈ રહી છે. આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે, જે 7 દિવસમાં ઘટના અંગે રિપોર્ટ આપશે.

માતા વૈષ્ણો દેવી મંદિરમાં શનિવારે ભાગદોડની ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. જમ્મૂના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓમાં થયેલ આ ઘટના બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તરફથી તપાસ પેનલની રચના કરવામાં આવી છે. એક સત્તાવાર આદેશ મુજબ પેનલને એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીર પ્રશાસનને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું કે, "કમિટી ઘટનાના કારણોની સવિસ્તાર તપાસ કરશે અને ખામિઓ વિશે જણાવશી અને ઘટના માટે જવાબદાર કોણ છે તે નિષ્કર્ષ પર આવશે."
આ તપાસ પેનલના પ્રમુખ સચિવ (ગૃહ) છે અને તેમાં જમ્મુ વિભાગીય કમિશનર રાઘવ લંગર અને એડિશનલ પોલીસ ડીજી જમ્મૂ, મુકેશ સિંહ સામેલ છે. જણાવાઈ રહ્યું છે કે ભક્તોના બે ફાટા વચ્ચે મારામારી થઈ હોવાના કારણે ભાગદોડ મચી હતી. શ્રાઈન બોર્ડ પ્રશાસને પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના તીર્થયાત્રિઓના બે સમૂહ વચ્ચે મારપીટને કારણે થઈ, જેમાં કુલ 12 તીર્થયાત્રીઓના મૃત્યુ થયાં છે અને 16 ઘાયલ થયા છે.
આ પહેલાં પોલીસે કહ્યું હતું કે મોટાભાગના તીર્થયાત્રિઓનાં મોત શ્વાસ રુંધાવાના કારણે થયો છે. પોલીસ ડીજી દિલબાગ સિંહે દાવો કર્યો કે કોઈ વિવાદ અથવા તો ભ્રમના કારણે ઘટના બની છે. દિલબાગ સિંહે ન્યૂજ એજન્સી પીટીઆઈના હવાલેથી કહ્યું કે ઘટનાસ્થળે મળેલી પ્રારંભિક જાણકારી મુજબ અમુક છોકરાઓ વચ્ચે મામૂલી બોલાચાલી થઈ હતી અને જે બાદ ભાગદોડ મચી ગઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
