For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી વાર ગણતંત્ર દિવસની પરેડમાં શામેલ થયા આઝાદ હિંદ ફૌજના સૈનિક

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઈન્ડિયન ર્મી (આઝાદ હિંદ ફૌજ) માં શામેલ રહેલા ચાર સૈનિકોએ શનિવારે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો.

|
Google Oneindia Gujarati News

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઈન્ડિયન ર્મી (આઝાદ હિંદ ફૌજ) માં શામેલ રહેલા ચાર સૈનિકોએ શનિવારે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો. 70માં ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફૌજના ચાર સૈનિક શામેલ થયા છે. આ પહેલી વાર છે જ્યારે નેતાજીની ફૌજના સૈનિક ગણતંત્ર દિવસની પરેડનો ભાગ બન્યા છે. પરેડમાં શામેલ ચારે સૈનિક 97થી 100 વર્ષની ઉંમરના છે અને બધા દિલ્લી કે આસપાસના રહેવાસી છે. ચારે સૈનિકોએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડમાં ભાગ લીધો.

INA

ભારતીય સેના સાથે પરેડમાં ભાગ લેનારા સૈનિકોમાં આઈએનએના પૂર્વ સૈનિક લાલતીરામ(98), હીરા સિંગ (97), ભાગમલ (95) અને પરમાનંદ (99) શામેલ છે. આ ચારે સૈનિકોએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. સેના તરફથી જણાવવામાં આવ્યુ છે કે લાંબો સમય પસાર થઈ જવાને કારણે આઝાદ હિંદ ફૌજ સાથે જોડાયેલા લોકોને શોધવાનું કામ મુશ્કેલ હતુ એટલા માટે અમે ચાર સૈનિકોને જ શોધી શક્યા છે.

દેશભરમાં આજે 70મો ગણતંત્ર દિવસનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણતંત્ર દિવસના પ્રસંગે આજે દિલ્લીના રાજપથ પર 90 મિનિટ સુધી પરેડ થઈ. આ વર્ષે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા શામેલ થયા છે. 90 મિનિટની પરેડમાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની કુલ 22 ઝાંખીઓ શામેલ થઈ. અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ સમારંભની શરૂઆત કરી.

આ પણ વાંચોઃ ભારત રત્ન નાનાજી દેશમુખઃ સમાજસેવા માટે ઠુકરાવી દીધુ હતુ મંત્રીપદઆ પણ વાંચોઃ ભારત રત્ન નાનાજી દેશમુખઃ સમાજસેવા માટે ઠુકરાવી દીધુ હતુ મંત્રીપદ

English summary
Veterans From subhas chandra Bose INA take part in Republic Day Parade first time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X