પૂર્વ સેનાધ્યક્ષ વી કે સિંહે HALની ક્ષમતા પર ઉઠાવ્યા મોટા સવાલ
પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે.
દેશભરમાં રાફેલ મુદ્દા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષ સતત મોદી સરકારને આ ડીલ માટે ઘેરી રહી છે. વળી, પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે. વી કે સિંહે એચએએલ પર સવાલ ઉઠાવ્યા છે કે શું તે સારી ગુણવત્તાના વિમાન બનાવી શકે છે. તેમણે કહ્યુ કે એચએએલ પોતાના ઓપરેશન્સને નક્કી સમયે પૂરા નથી કરી શકતા, વળી, ઘણા નવા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ લાંબા સમયથી લટકી રહ્યા છે અને પૂરા નથી થઈ શક્યા.

એચએએલની હાલત જુઓ
વી કે સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર રાફોલ ડીલ અંગે નિશાન સાધી રહ્યા છે. રાહુલ કગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે રાફેલ એરક્રાફ્ટને વધુ કિંમતમાં ખરીદ્યુ છે. વી કે સિંહે કહ્યુ કે તમે એચએએલની હાલત જુઓ, એ કહેતા દુઃખ થાય છે પરંતુ એચએએલમાં ઘણા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ સમયથી અટકેલા પડ્યા છે. એરક્રાફ્ટના ભાગો રનવે પર પડી રહ્યા છે, શું આ છે એચએએલની ક્ષમતા. વળી, બીજી તરફ કહેવામાં આવી રહ્યુ છે કે એચએલને રાફેલની ડીલ કેમ નથી મળી રહી.

રાહુલ પર સાધ્યુ નિશાન
જે રીતે બેંગલુરુમાં મિરાજ 2000 ટ્રેનર એરક્રાફ્ટમાં બે પાયલટના મોત થયા તેના પર પણ વી કે સિંહે એચએએલ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે શું એચએએલ સારા એરક્રાફ્ટ બનાવી શકે છે. આ પહેલા વી કે સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી અને તેમના સહયોગી ઉદ્યોગપતિઓએ દશકો સુધી રક્ષા સોદામાં કમિશન મેળવ્ય્ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીની મુશ્કેલી એ છે કે ભલે તે બોફોર્સ હોય કે ટાટા હોય કે ચૉપર હોય તેમના સાથીઓને કમિશન મળે. પરંતુ હવે વારંવાર આરોપ લગાવવાથી રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ નથી થતો.

મુદ્દાનું રાજકીયકરણ ના કરો
વી કે સિંહે કહ્યુ કે હું અપીલ કરુ છુ કે કોંગ્રેસ રાફેલ મુદ્દાનું રાજકીયકરણ ના કરે. આ ડીલથી એરફોર્સને ઘણો ફાયદો થશે. જો આપણે સતત એકબીજાના પગ ખેંચીશુ તો આપણે દેશની સેનાને ઘણુ નુકશાન પહોંચાડીશુ. તમને જણાવી દઈએ કે બુધવારે સંસદમાં રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યુ કે રાફેલ ડીલને ગઈ ડીલની તુલનામાં ઓછી કિંમત પર ખરીદવામાં આવ્યુ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
