પૂર્વ સેનાધ્યક્ષ વી કે સિંહે HALની ક્ષમતા પર ઉઠાવ્યા મોટા સવાલ
પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે.
દેશભરમાં રાફેલ મુદ્દા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષ સતત મોદી સરકારને આ ડીલ માટે ઘેરી રહી છે. વળી, પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહે આ સમગ્ર મામલે એચએએલ પર નિશાન સાધ્યુ છે. વી કે સિંહે એચએએલ પર સવાલ ઉઠાવ્યા છે કે શું તે સારી ગુણવત્તાના વિમાન બનાવી શકે છે. તેમણે કહ્યુ કે એચએએલ પોતાના ઓપરેશન્સને નક્કી સમયે પૂરા નથી કરી શકતા, વળી, ઘણા નવા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ લાંબા સમયથી લટકી રહ્યા છે અને પૂરા નથી થઈ શક્યા.

એચએએલની હાલત જુઓ
વી કે સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર રાફોલ ડીલ અંગે નિશાન સાધી રહ્યા છે. રાહુલ કગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે રાફેલ એરક્રાફ્ટને વધુ કિંમતમાં ખરીદ્યુ છે. વી કે સિંહે કહ્યુ કે તમે એચએએલની હાલત જુઓ, એ કહેતા દુઃખ થાય છે પરંતુ એચએએલમાં ઘણા પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષથી વધુ સમયથી અટકેલા પડ્યા છે. એરક્રાફ્ટના ભાગો રનવે પર પડી રહ્યા છે, શું આ છે એચએએલની ક્ષમતા. વળી, બીજી તરફ કહેવામાં આવી રહ્યુ છે કે એચએલને રાફેલની ડીલ કેમ નથી મળી રહી.

રાહુલ પર સાધ્યુ નિશાન
જે રીતે બેંગલુરુમાં મિરાજ 2000 ટ્રેનર એરક્રાફ્ટમાં બે પાયલટના મોત થયા તેના પર પણ વી કે સિંહે એચએએલ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે શું એચએએલ સારા એરક્રાફ્ટ બનાવી શકે છે. આ પહેલા વી કે સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી અને તેમના સહયોગી ઉદ્યોગપતિઓએ દશકો સુધી રક્ષા સોદામાં કમિશન મેળવ્ય્ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીની મુશ્કેલી એ છે કે ભલે તે બોફોર્સ હોય કે ટાટા હોય કે ચૉપર હોય તેમના સાથીઓને કમિશન મળે. પરંતુ હવે વારંવાર આરોપ લગાવવાથી રક્ષા ડીલમાં ભ્રષ્ટાચાર ખતમ નથી થતો.

મુદ્દાનું રાજકીયકરણ ના કરો
વી કે સિંહે કહ્યુ કે હું અપીલ કરુ છુ કે કોંગ્રેસ રાફેલ મુદ્દાનું રાજકીયકરણ ના કરે. આ ડીલથી એરફોર્સને ઘણો ફાયદો થશે. જો આપણે સતત એકબીજાના પગ ખેંચીશુ તો આપણે દેશની સેનાને ઘણુ નુકશાન પહોંચાડીશુ. તમને જણાવી દઈએ કે બુધવારે સંસદમાં રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યુ કે રાફેલ ડીલને ગઈ ડીલની તુલનામાં ઓછી કિંમત પર ખરીદવામાં આવ્યુ.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
