વોલમાર્ટ ' લાંચ' મામલાની તપાસ કરવા સરકાર તૈયારઃ કમલનાથ
યશવંત સિન્હાએ લોકસભામાં સ્પીકરને માંગ કરી હતી કે સરકારે તેની સમયબદ્ધ તપાસ કરાવે, જ્યારે સંસદીય કાર્યમંત્રી કમલનાથે કહ્યું કે સરકાર તેની તપાસ કરાવશે. ત્યારબાદ શૂન્યકાળ શરૂ થઇ ગયો પરંતુ હંગામો મચતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. તેના પહેલા વોલમાર્ટ લોબિંગ રિપોર્ટ પર વિપક્ષી દળો દ્વારા જોરદાર હંગામો કરવામાં આવ્યો જેના કારણે મંગળવારે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ બપોરે 12 વાગે સ્થગિત કરી દેવામાં આવી હતી. સવારે સંસદમાં કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક પણ મળી.
લોકસભામાં યશવંત સિન્હા અને રાજ્યસભામાં વેંકૈયા નાયડૂએ લોબિંગ મામલો ઉઠાવ્યો. બન્ને નેતાઓએ આ સંબંધમાં સદનમા નોટિસ આપી. વિપક્ષને આશ્વસ્ત કર્યું કે વોલમાર્ટના મુદ્દે તેમને બોલવાની તક આપવામાં આવે, પરંતુ હંગામો થતાં સદનની કાર્યવાહી ચાલી નહીં અને બપોરે 12 વાગ્યા સુધી સદન સ્થગિત કરવું પડ્યું.