યુવકને ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર મારી હત્યા કરી, જાણો કારણ
યુપીના એટામાં રુંવાટા ઉભા કરી દેતો મામલો સામે આવ્યો છે. યુપીના એટામાં એક અઠવાડિયા પહેલા ભેંસ ચોરીના આરોપમાં એક નિર્દોષ યુવકને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી.
યુપીના એટામાં રુંવાટા ઉભા કરી દેતો મામલો સામે આવ્યો છે. યુપીના એટામાં એક અઠવાડિયા પહેલા ભેંસ ચોરીના આરોપમાં એક નિર્દોષ યુવકને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી. યુવકને ગ્રામીણોએ ઝાડ સાથે ઊંધો લટકાવી પટ્ટા, ડંડા અને દોરડાથી ત્યાં સુધી મારતા રહ્યા, જ્યાં સુધી તે મરવાની સ્થિતિમાં ના આવ્યો. માનસિક રૂપે બીમાર આ નિર્દોષ યુવકનો વાંક ફક્ત એટલો જ હતો કે તે ઘરેથી ભટકીને એટાના નાગલા આહીર ગામમાં મોડી રાત્રે ફરતા ફરતા પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: યુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ

ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર માર્યો
ખરેખર નાગલા આહીરમાં ભેંસ ચોરીની સતત ઘટના પછી ગ્રામીણોએ તેને ચોર સમજી લીધો અને એવી તાલિબાની સજા આપી કે તેની મૌત થઇ ગઈ. યુવક પોતે ગુનેગાર નથી તેવો દાવો કરતો રહ્યો અને છોડી દેવાની આજીજી કરતો રહ્યો, પરંતુ તાલિબાની સજા આપનાર ગ્રામીણોનું હૃદય ઓગળ્યું જ નહીં. મરવાની હાલતમાં ગ્રામીણોએ યુવકને પોલીસમાં સોંપી દીધો. જ્યાં સુધી પોલીસે સવારે 5 વાગ્યે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, તેના ત્રણ કલાકમાં ઉપચાર દરમિયાન યુવકની મૌત થઇ ગઈ.

સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
સોશ્યિલ મીડિયા પર યુવકની પિટાઈનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાનૂન હાથમાં લેનારાઓ સામે એટા પોલીસે 7 દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી. વીડિયો વાયરલ થયા પછી પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે. એટા એએસપી સંજય કુમારે જણાવ્યું કે ગ્રામીણો ઘ્વારા મળેલી ફરિયાદ પછી મામલો નોંધવામાં આવ્યો છે.

યુવકની મૌત
પોલીસે મૃતકના પરિવાર ઘ્વારા ફરિયાદ આવ્યા પછી જાંચ કરીને કાર્યવાહી કરવાની વાત કહી હતી. તેવી સ્થિતિમાં સવાલ થાય છે કે આખરે જયારે યુવકને તાલિબાની સજા આપવામાં આવી અને તેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી પણ પોલીસે ચૂપ કેમ બેઠી? કાનૂન હાથમાં લેનારાઓ સામે એક અઠવાડિયું પસાર થયા પછી પણ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી?
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
