વધુ એક વાયરસનો કહેર, જૂનાગઢમાં અવિના ફ્લૂથી 53 પક્ષીનાં મોત
હજી કોરોના વાયરસના કહેરથી રાજ્ય ઉભરી નથી શક્યું ત્યં જૂનાગઢમાં વધુ એક ફ્લૂએ સૌને ડરાવવા શરૂ કરી દીધા છે. માણાવદરમાં ફેલાયેલ H5 અવિના ફ્લૂને કારણે 53 જેટલાં પક્ષીઓ મૃત્યુ પામ્યાં છે. આ મામલે વનવિભાગે તપાસ હાથ ધરી છે, જો ક
હજી કોરોના વાયરસના કહેરથી રાજ્ય ઉભરી નથી શક્યું ત્યં જૂનાગઢમાં વધુ એક ફ્લૂએ સૌને ડરાવવા શરૂ કરી દીધા છે. માણાવદરમાં ફેલાયેલ H5 અવિના ફ્લૂને કારણે 53 જેટલાં પક્ષીઓ મૃત્યુ પામ્યાં છે. આ મામલે વનવિભાગે તપાસ હાથ ધરી છે, જો કે હજીસુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ આ સંદિગ્ધ વાયરસ માણસમાં પણ ફેલાઈ શકતો હોવાથી અધિકારીઓ પણ ભયભીત છે.
ભાંતવા ખારા ડેમ નજીક આવેલ રેવન્યૂ એરિયામાં પક્ષી મૃત્યુ પામી રહ્યાં હોવાની માહિતી શનિવારે માણાવદર રેન્જ ઑફિસરને મળી હતી. માહિતી મળતાંની સાથે જ અધિકારીઓની એક ટૂકડી ઘટના સ્થળે દોડી આવી, જ્યાં તેમને ત્રણ બગલા, એક બતક અને એક પિયારણ (બતક) સહિત કુલ 53 પક્ષીઓ મૃત્યુ પામ્યા રેન્જ ફોરેસ્ટ ઑફિસરે આ મામલે તેમના ઉપરી અધિકારીઓને જાણ કરી. મૃત્યુનું કારણ જાણવા માટે મૃત પક્ષીઓના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
એક્ટિવિસ્ટ મનિષ વાઢિયાએ કહ્યું કે, "પક્ષીઓ H5 Avina Fluને કારણે મૃત્યુ પામ્યા છે કે બીજા કોઈ કારણસર તે અંગે હજી જાણવા નથી મળ્યું, અમે નથી ઈચ્છતા કે નાગરિકો ડરે. ફોરેસ્ટ અધિકારીઓ સ્થિતિથી વાકેફ છે અને તેને કાબૂમાં કરી કે તેમ છે."
ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં સેંકડો ગાય, મોર અને મરઘીઓ મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં H5 Avina Infuenzaના કારણે મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ, હાઈ કમાન્ડને કહ્યુ - હળવી જવાબદારી આપો