દિલ્હીમાં દરરોજ મળે છે 9 બિનવારસી લાશો
નવી દિલ્હી, 1 ઓગષ્ટ: તમને સાંભળીને ચોંકી જશો કે રાજધાની દિલ્હી પાસે અલગ-અલગ વિસ્તારોને જોડીને દરરોજ 9 બિનવારસી લાશો મળી આવે છે. તેમાં મોટાભાગે સ્મોકર અને ભિખારી હોય છે. જી હાં આ અમે નહી કહી રહ્યાં પરંતુ નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યૂરોના આંકડા કહી રહ્યાં છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2012માં આખા દેશમાં 37 હજાર 838 બિનવારસી લાશો મળી આવી છે. તેમાંથી 3 હજાર 359 લાશો ફક્ત દિલ્હીમાંથી મળી આવી હતી.
લાશોની આ સંખ્યાની સરેરાશ કાઢીએ તો સ્પષ્ટ થઇ જાય છે કે દિલ્હીમાં પ્રતિદિવસ 9 લાવારિસ લાશો મળી આવે છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર આ મુદ્દે ટોચ પર છે. વર્ષ 2012માં મહારાષ્ટ્રમાં 5 હજાર 906 લાશો મળી આવી હતી. આ ઉપરાંત તમિલનાડુમાં 5 હજાર 319 અને ઉત્તર પ્રદેશમાં 3 હજાર 996 લાશો મળી આવી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પર દિલ્હી પોલીસનું કહેવું છે કે મોટાભાગના મોત પ્રાકૃતિક છે.

પોલીસનું કહેવું છે કે મૃતકોમાં મોટાભાગે મજૂર કે પછી ભિખારી છે જેમની પાસે રહેવાનું ઠેકાણું નથી અને હવામાનના ફેરબદલને સહન ન કરી શકતાં તેમનું મોત નિપજે છે. જો પેલીસે આ વાતને સ્વિકારે છે કે મૃતકોમાં નશાના આદિ પણ હતા જે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરતા હતા. પોલીસનું કહેવું છે કે જો આવી લાશો દિલ્હી રેલવે સ્ટેશન અને આનંદ વિહાર વિસ્તારમાં મળી આવે છે કારણ કે આ વિસ્તારોમાં મજૂર વર્ગ મોટાભાગ લોકો રસ્તાના કિનારે રહેવા પર મજબૂર છે.












Click it and Unblock the Notifications
