મમતા અને મિત્રા સાથે ધક્કામુક્કી બાદ બંગાળમાં બબાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવીને મંગળવારે સાંજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે યોજાનારી બેઠક રદ કરી દિધી છે. અમિત મિત્રા સાથે ધક્કામુક્કી કરવામાં આવતાં ગુસ્સે ભરાયેલ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા પણ હિંસા પર ઉતરી આવ્યા હતા. તેમને પશ્વિમ બંગાળના વિભિન્ન શહેરોમાં સીપીએમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પોતાના મંત્રીઓ સાથે મંગળવારે દિલ્હી આવી હતી. મમતા બેનર્જી અને અમિત મિત્રા જ્યારે યોજના આયોગને કોમ્પ્લેક્સ પહોંચ્યા તો ત્યાં સીપીએમ અને એસએફઆઇના 150થી વધુ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ કાર્યકર્તા મમતા બેનર્જી હાય-હાય, ટીએમસી હાય-હાય, હત્યારી મમતા શરમ કરોના નારા લગાવી રહ્યાં હતા.
પોલીસે મમતા બેનર્જીને કારમાંથી ન ઉતરવાની સલાહ આપી હતી. આ દરમિયાન નારેબાજી કરતાં હાથમાં તખ્તીઓ લઇને વધુ પ્રદર્શનકારી કોમ્પ્લેક્સમાં ઘુસી ગયા. આ દરમિયાન પોલીસે મમતા બેનર્જીને ઘેરી લીધા પરંતુ અમિત મિત્રા પ્રદર્શનકારીના હાથે લાગી ગયા. આ દરમિયાન મમતા બેનર્જી અસભ્ય વર્તન એમ કહેતાં બિલ્ડિંગમાં જતી રહી.
અમિત મિત્રા જ્યારે યોજના ભવનની બિલ્ડિંગમાં જઇ રહ્યાં હતા ત્યારે સીપીએમ અને એસએફઆઇના કાર્યકર્તાઓને તેમને ઘેરી લીધા. અમિત મિત્રા સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા પ્રદર્શનકારીએ અમિત મિત્રાની છાતી પર બે મુક્કા માર્યા હતા. પ્રદર્શનકારીઓએ અમિત મિત્રાનો કુર્તો ફાડી નાખ્યો હતો. પ્રદર્શનકારી કોલકત્તામાં એસએફઆઇના વિદ્યાર્થી નેતા સુદીપ્તો ગુપ્તાની મોતના દોષીઓને જલદી ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
