Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોફોર્સ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ

quattrocchi
નવી દિલ્હી, 15 જુલાઇ: ઇટાલીના બિઝનેસમેન અને બોફોર્સ તોપ સોદા કેસના આરોપી ઓટ્ટાવિયો ક્વાત્રોચ્ચિના નિધન બાદ ભાજપ અને કોંગ્રેસના વચ્ચે રવિવારે રાજકીય આરોપ-પ્રત્યારોપનો નવો દોર શરૂ થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ની પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે બોફોર્સ ગોટાળાની આ વાત ઉત્કૃટ ઉદાહરણ છે કે કેવી રીતે એક તપાસ એજન્સી પોતાનું કામ કરી રહી નથી. ક્વાત્રોચ્ચિ તરફ ઇશારો કરતાં તેમને કહ્યું હતું કે બોફોર્સ કેસમાં લાંચ લેવાની લેવડ-દેવડમાં જે પણ સામેલ છે. તે બધા બચી નિકળ્યા છે.

ઇટાલીના મિલાન શહેરમાં શુક્રવારે ક્વાત્રોચ્ચિનું મોત નિપજ્યું હતું. લેખીએ કહ્યું હતું કે ''તે વ્યક્તિએ કહાણી જણાવી ન હતી. તેની યાદમાં 21 બોફોર્સ તોપની સલામી આપવી જોઇએ''. તેમને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ક્વાત્રોચ્ચિને 1993માં દેશ છોડવાની પરવાનગી આપી હતી અને કહ્યું હતું કે તેને પરત લાવવા માટે ગંભીર પ્રયત્ન કરવામાં ન આવે. લેખીએ કહ્યું હતું કે '' તે એ અંગે તપાસ કરે જેને તેને દેશમાંથી ભાગવામાં મદદ કરી હતી. કોંગ્રેસ સરકારે તેના ખાતાને ડિફ્રોજ કર્યા હતા.''

કોંગ્રેસના પ્રવક્તા પીસી ચાકોએ ભાજપા પર ક્વાત્રોચ્ચિના સ્વાભાવિક મોત નિપજ્યા બાદ બોફોર્સ મુદ્દાને મહત્વ આપવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ પ્રકારના રાજકારણ અંત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને કહ્યું હતું કે બોફોર્સ પ્રકરણમાં સરકારના પગલાં વિશે દુનિયા જાણે છે. તેમને કહ્યું હતું કે ''અમે તે દરેક પગલાં ભર્યા છે જે અમે ભરી શકતાં હતા. અમે ક્વાત્રોચ્ચિ પ્રત્યે કોઇ નરમ વલણ અપનાવ્યું નથી. એનડીએ સરકારે શું કર્યું? તેને પરત લાવવા માટે શું પગલાં ભર્યા.'' ચાકોએ કહ્યું હતું કે ભાજપ ફક્ત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પરિવારને બદનામ કરવા માટે બોફોર્સને મુદ્દો બનાવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X