For Quick Alerts
For Daily Alerts
દોષી નેતાઓની ખુરશી નહી જાય, કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર: ગુનાહિત પ્રવૃતિઓમાં દોષી ગણવામાં આવેલા સાંસદો અને ધારાસભ્યોની ખુરશી હવે જશે નહી. કેન્દ્રિય મંત્રિમંડળે મંગળવારે આ સંબંધિત એક અધ્યાદેશને મંજૂરી આપી દિધી છે.
સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને બદલવા માટે તાજેતરમાં જ નાગરિક પ્રતિનિધિત્વ બિલ (બીજો સુધારો) 2013ને રાજ્યસભામાં રજૂ કર્યું હતું પરંતુ આ બિલ સંસદમાં પાસ થઇ શક્યું ન હતું.
સુપ્રીમ કોર્ટના ચૂકાદાને નબળો પાડવા માટે સરકાર સંસદમાં બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી હતી. એવામાં ગુનાહિત પ્રવૃતિઓમાં દોષી ગણવામાં આવેલા અને બે વર્ષ અથવા તેનાથી વધુ સજા મેળવનાર સાંસદો અને ધારાસભ્યો પર તાત્કાલિક અયોગ્ય ઠેરવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
English summary
The government on Tuesday cleared an ordinance paving way for convicted MPs and MLAs to contest elections.
Story first published: Tuesday, September 24, 2013, 19:40 [IST]