તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, એકનું મોત
તિહાડ જેલના વિધિ અધિકારી સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ઘટના કારાગારના જેલ નંબર એકમાં સવારે સાડા છ વાગે મારામારી થઇ હતી જેમાં પૂર્વોત્તર દિલ્લીના સીલમપુર નિવાસી જાવેદનું મોત નિપજ્યું છે. સુનીલ ગુપ્તાએ એમ પણ જણાવ્યું હતું કે બે ગેંગ વચ્ચે જુની અદાવત હતી અને આજે સવારે તેમની વચ્ચે મારામારી થઇ હતી અને જેમાં જાવેદ નામના કેદીનું મોત નિપજ્યું હતું.
તિહાડ જેલ સૂત્રોનું માનીએ તો જાવેદ અન્ય કેદીઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જેલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જાવેદની અન્ય કેદીઓ સાથે માથાકૂટ થયા બાદ નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલા લાકડા વડે જાવેદ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક મારામારીમાં જો લોકોને ઇજા પહોંચી છે તેમાંથી બે કેદીઓને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. એક કેદીની હાલત ગંભીર છે જેને આઇસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યો છે. તાજા ઘટનાક્રમ બાદ તિહાડ જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.