For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, એકનું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tihar
નવી દિલ્હી, 4 મે: જમ્મૂની જેલમાં બંધ એક પાકિસ્તાની કેદી પર થયેલા હુમલા બાદ શુક્રવારે બપોરે દિલ્હીની તિહાડ જેલમાં બંધ કેદીઓની બે ગેંગની વચ્ચે હિંસક મારામારી થઇ છે. જેમાં એક કેદીનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય કેદીઓને ઇજા પહોંચી છે. મૃત કેદીનું નામ જાવેદ હોવાનું જાણવા મળ્યું છે.

તિહાડ જેલના વિધિ અધિકારી સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ઘટના કારાગારના જેલ નંબર એકમાં સવારે સાડા છ વાગે મારામારી થઇ હતી જેમાં પૂર્વોત્તર દિલ્લીના સીલમપુર નિવાસી જાવેદનું મોત નિપજ્યું છે. સુનીલ ગુપ્તાએ એમ પણ જણાવ્યું હતું કે બે ગેંગ વચ્ચે જુની અદાવત હતી અને આજે સવારે તેમની વચ્ચે મારામારી થઇ હતી અને જેમાં જાવેદ નામના કેદીનું મોત નિપજ્યું હતું.

તિહાડ જેલ સૂત્રોનું માનીએ તો જાવેદ અન્ય કેદીઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જેલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જાવેદની અન્ય કેદીઓ સાથે માથાકૂટ થયા બાદ નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલા લાકડા વડે જાવેદ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક મારામારીમાં જો લોકોને ઇજા પહોંચી છે તેમાંથી બે કેદીઓને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. એક કેદીની હાલત ગંભીર છે જેને આઇસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યો છે. તાજા ઘટનાક્રમ બાદ તિહાડ જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

English summary
A jail inmate, lodged in Tihar, died on Friday when clashes erupted inside jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X