Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોલગેટ : PMને મળવા પહોંચ્યા કાનૂનમંત્રી અને એટર્ની જનરલ

ashwini kumar
નવી દિલ્હી, 9 મે : કોલસા બ્લોક ફાળવણી મામલાની તપાસને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢ્યાના બીજા દિવસે કાનૂનમંત્રી અશ્વિની કુમારે આજે પ્રધાનમંત્રી મનમોહનસિંહની મુલાકાત કરી. કુમારે પ્રધાનમંત્રીના કાર્યાલય સાઉથ બ્લોક જઇને તેમની મુલાકાત કરી હતી.

કહેવાય છે કે તેમણે કોલસા ઘોટાળા તપાસ રિપોર્ટમાંથી 'સાર' બદલી દેવા માટે સીબીઆઇ, પ્રધાનમંત્રી કાર્યાલય અને કોલસા મંત્રાલયના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી.

કોર્ટે સરકારને એ નિર્દેશ પણ આપ્યો છે કે તે સીબીઆઇને 'બાહરી પ્રભાવ અને અનુચિત દખલ'થી બચાવવા માટે 10 જુલાઇ પહેલા એક કાનૂન બનાવશે. શ્રેષ્ઠ કોર્ટે સીબીઆઇને હળવો કરવા માટે કાનૂનમંત્રીની ભૂમિકાના સંબંધમાં ટિપ્પણી કરી હતી.

તેમણે જણાવ્યું કે જો કાનૂનમંત્રી કહેવાથી સ્ટેટસ રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવે તો શું એનાથી તપાસની નિષ્પક્ષતા પ્રભાવિત ના થઇ જાય? કોર્ટે જોકે આ ઉપરાંત કુમારની વિરુદ્ધ કોઇ અન્ય મોટા ટિપ્પણી નથી કરી. કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવી રાખવા પ્રયત્ન કરી રહેલા અશ્વિની કુમારના રાજીનામાને લઇને વિપક્ષ સરકાર પર મોટું દબાણ બનાવેલું છે. અશ્વિની પહેલા એટર્ની જનરલ પણ પીએમને મળીને આવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X