મોદી સરકાર વિરૂદ્ધ મોટા આંદોલનની તૈયારીમાં કોંગ્રેસ

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: જમીન સંપાદન બિલમાં સંશોધન માટે લાવવામાં આવેલા ઘરડાનો વિરોધ કરવાની તૈયારી કરી ચૂકેલી કોંગ્રેસ સોમવારે પોતાના મહાસચિવોની બેઠક બોલાવી છે. તેમાં નરેન્દ્ર મોદી સરકારને ખેડૂત વિરોધીના રૂપમાં રજૂ કરવા માટે દેશવ્યાપી આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પહેલ પર યૂપીએ-2 સરકારના કાર્યકાળમાં જમીન સંપાદન કાયદો બનાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકારે આ ખરડાના માધ્યમથી કાયદામાં સુધારો કરી તેને ફરી નબળો બનાવી દિધો છે. કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્રીવેદીએ સોમવારે અહીં બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)એ સ્પષ્ટ કરી દિધું છે કે તે આગામી દિવસોમાં જમીન સંપાદન બિલ સંશોધન ખરડો, પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન શુલ્કમાં વધારો અને નીતિ પંચનની રચના જેવા મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવશે.

rahul-gandhi-jharkhand

કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે નિહિત સ્વાર્થોના લીધે ખરડો લઇને આવી છે. પાર્ટીએ યાદ અપાવ્યું છે કે જમીન અધિગ્રહણ બિલને જે સંસદીય સમિતિએ અંતિમ રૂપ આપ્યું હતું તેની અધ્યક્ષતા ભાજપ નેતા અને વર્તમાનમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કરી હતી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ખરડા પર સરકાર પાસે સ્પષ્ટતા માંગવી ખૂબ ગંભીર મુદ્દો છે. પાર્ટીનું કહેવું છે કે તે દરેક ફોરમ પર ખરડાને પડકાર ફેંકશે અને સંસદની બહાર તથા અંદર આ મુદ્દો ઉઠાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X