દિલ્હીમાં બહુમાળી બિલ્ડિંગ ધરાશય, 1નું મોત

ઇજાગ્રસ્તોની સાર જીટીબી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. હજુ સુધી કાટમાળમાં કેટલાક લોકો નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ખાસ વાત એ છે કે ચારમાળની બિલ્ડિંગ પહેલાંથી જર્જરિત હાલતમાં હતી, જેને એમસીડીએ પહેલાં ખાલી કરાવવાની નોટીસ આપી દિધી હતી, તેમ છતાં આ બિલ્ડિંગનો માલિક પોતાના મજૂરો મારફતે તેને તોડાવી રહ્યો હતો. બિલ્ડિંગને તોડતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.
દિલ્હીમાં એવી ઘણી બિલ્ડિંગો છે જે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી છે. તેમની જર્જરિત હાલત હોવાછતાં લોકો ત્યાં રહે છે. નગર નિગમના અધિકારીઓએ તેમાંથી કેટલીક બિલ્ડિંગોને ખાલી કરવાના આદેશ આપ્યા છે પરંતુ તેમછતાં લોકો તેમાં વસવાટ કરે છે.












Click it and Unblock the Notifications
