Delhi News : CM કેજરીવાલના પ્રસ્તાવને મંજૂરી, આ બે મંત્રીને સોંપાયો વધારાનો હવાલો
Delhi News : દિલ્હી સરકારે CM અરવિંદ કેજરીવાલના મંત્રી કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને વધારાનો પોર્ટફોલિયો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
Delhi News : દિલ્હી સરકારના બે મંત્રી મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાં બાદ કેજરીવાલ સરકારે તેમના વિભાગોને બીજાને સોંપ્યો હતો. જે બાદ કેબિનેટમાં ફેરબલદ કરવાની અફવાને સંપૂર્ણ રીતે અફવા સાબિત થઇ છે. મનિષ સિસોદિયાએ નાણા વિભાગના મંત્રી કૈલાશ ગહલોતને સોંપવામાં આવ્યો છે. આવામાં દિલ્હી સરકારના બજેટ આ વર્ષે કૈલાશ ગહલોત રજૂ કરશે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારના મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને વધારાનો પોર્ટફોલિયો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પોર્ટફોલિયોનું વિતરણ
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ મંત્રી કૈલાશ ગેહલોતને નાણાં, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને જળ વિભાગો આપવામાં આવ્યા છે. જ્યારે મંત્રી રાજ કુમાર આનંદને શિક્ષણ, જમીન અને મકાન, તકેદારી, સેવાઓ, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગનો કારભાર આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે મંત્રી સત્યેન્દ્ર જૈને પણ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંજૂરી આપી હતી. કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈની કસ્ટડીમાં લેવામાં આવ્યા, બાદ સિસોદિયાએ રાજીનામું આપ્યું હતું, જ્યારે સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા નવ મહિનાથી જેલમાં છે.
આ પહેલાથી જ સ્પષ્ટ હતું કે, બંને જૂના મંત્રીઓના ખાતા મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજ કુમાર આનંદને સોંપવામાં આવશે, પરંતુ એવા અહેવાલો પણ હતા કે, કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. આ સાથે સૌરભ ભારદ્વાજ અને આતિષીના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું.












Click it and Unblock the Notifications
