ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ, 4 લોકો દાઝ્યા
દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં લક્ષ્મી પાર્ક બી-65ના એક ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.
દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં લક્ષ્મી પાર્ક બી-65ના એક ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. ફાયર વિભાગની માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકો દાઝી ગયા છે.

સોમવારની સવારે પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં એલપીજી સિલિન્ડરમાં આગ લાગવાથી ચાર લોકો દાઝી ગયા હતા. આ અંગે એક ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ફાયર અધિકારીએ માહિતી આપી હતી કે, તેમને B 65, લક્ષ્મી પાર્ક, નાંગલોઈમાં સવારે 7.26 કલાકની આસપાસ આગની ઘટનાનો કોલ મળ્યો હતો. જે બાદ તરત જ ત્રણ ફાયર ટેન્ડરને સેવામાં ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, એક એલપીજી સિલિન્ડરમાં આગ લાગી હતી. ફાયર ફાઇટર્સે સવારે 8.00 કલાક અને 30 મિનિટમાં આગને કાબુમાં લીધી હતી. કૂલિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે, જે રૂમમાં આ ઘટના બની હતી તે આગને કારણે સંપૂર્ણ રીતે બળી ગયો હતો. મોટાભાગની ઘરેલું વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.
શહેરના આઝાદપુર વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટીમાં LPG સિલિન્ડર વિસ્ફોટમાં 17 લોકો ઘાયલ થયાના એક દિવસ બાદ જ આ ઘટના બની છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાંથી પાંચની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોની હાલમાં લોક નાયક, રામ મનોહર લોહિયા અને બાબુ જગજીવન રામની મધ્ય અને બહારની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
