દિલ્હીમાં દર 40 મિનિટે થાય છે એક બળાત્કાર : સર્વે

એસોચૈમના મહાસચિવ ડી.એસ.રાવતે રિપોર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે દિલ્હી અને એનસીઆરની મહિલાઓ દિવસે અને રાત્રે સાર્વજનિક સ્થળોએ પણ અસુરક્ષિત મહસૂસ કરે છે. સ્ત્રીઓની સુરક્ષા સાથે જોડાયેલા સર્વેમાં દિલ્હી, એનસીઆર, મુંબઇ, કલકત્તા, બેંગ્લોર, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણે અને દેહારાદુન સહિત કેટલાય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સો ટકા મહિલાઓ કહ્યું છે કે મહિલાઓની સુરક્ષાની સમસ્તા દેશની બીજી કોઇ પણ સમસ્યા કરતાં મોટી છે.
સર્વેમાં એ વાત સામે આવી છે કે રાજધાની દિલ્હીમાં વિભિન્ન સેક્ટરોમાં કામ કરનારી 92 ટકા મહિલાઓ રાતપાળીમાં કામ કરવા દરમિયાન પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે. દેશમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ બીપીઓ, રિસેપ્શનિસ્ટ, નાગરિક ઉડ્ડયન, દાક્તરી સેવા, વસ્ત્ર ઉદ્યોગ તથા મિડીયાના ક્ષેત્રમાં કામ કરે છે. આ ક્ષેત્રોમાં મોડી રાત સુધી કામ કરનારી મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા નક્કી કરવાની જરૂરિયાત છેલ્લાં કેટલાક સમયથી અનુભવવામાં આવતી હતી.
સર્વેમાં દિલ્હીની 92 ટકા, બેંગ્લોરની 85 ટકા, કલકત્તાની 82 ટકા અને હૈદ્રાબાદની 18 ટકા મહિલાઓએ સ્વિકાર્યું છે કે તે દિવસે અને રાત્રે બંને પાળીઓમાં કામ કરવામાં પોતાની અસુરક્ષિત અનુભવે છે. મોડી રાત સુધી કામ કરવું તે બદલાતા સમયની માંગ છે એવા સમયે મહિલાઓની સુરક્ષા એક મોટી સમસ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે 92 ટકા મહિલાઓએ કહ્યું છે કે મહિલાઓ વિરૂદ્ધના ગુનાને બિન જમાનતી શ્રેણીમાં મુકવો જોઇએ અને તેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઇએ.












Click it and Unblock the Notifications
