આપના નેતા યોગેન્દ્ર યાદવના ચહેરા પર કાળી શાહી ચોપડી
નવી દિલ્હી, 8 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ પર કોઇએ શાહી વડે હુમલો કર્યો છે. યોગેન્દ્ર યાદવ પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. ત્યારે કોઇએ આવેને તેમના ચહેરા પર શાહી લગાવી દિધી.
ઘટના બાદ યોગેન્દ્ર યાદવે પત્રકારોને કહ્યું હતું કે હું અહી બેઠો હતો, મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કોઇએ પાછળથી આવીને મારા ચહેરા પર આ લગાવી દિધું. યોયોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે હું જાણી શક્યો નથી કે મારા ચહેરા પર શાહી લગાવી છે કે રંગ. હું તો તેનો રંગ પણ જોઇ શક્યો નથી આ વાદળી છે કે કેવો છે? જ્યારે તમે રાજકારણને બદલવા માટે નિકળો છો આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. હું બિલકુલ શરમ અનુભવતો નથી, હું કહીશ કે જેને મારી સાથે આ કર્યું છે, ભગવાન તેને સંતુષ્ટિ આપે.
યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ફરી એકવાર આમ આદમી પાર્ટીની સાથે આ થયું છે. તેમણે કોઇ પણ આરોપ લગાવવાની મનાઇ કરી દિધી, યોગેન્દ્ર યાદવ અનુસાર હું જેના વિશે કંઇપણ જાણતો નથી, તેના વિશે હું કોઇપણ ટિપ્પણી કેવી રીતે કરી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગેન્દ્ર યાદવ પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર કોઇએ શાહી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ આપ કાર્યકર્તાઓમાં રોષ છે, તે 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યાં છે. હમણાં થોડા દિવસો પહેલાં સહારા ચીફ સુબ્રત રોયના ચહેરા પર પણ સુપ્રીમ કોર્ટ બહાર ગ્વાલિયરના મનોશ શર્મા નામના વ્યક્તિએ શાહી ફેંકી હતી.












Click it and Unblock the Notifications
