For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના અનશન યથાવત, તબિયત બગડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 27 માર્ચ: વિજળી અને પાણીના વધતા જતા બિલો વિરૂદ્ધ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના અનશનનો આજે પાંચમો દિવસ છે. પાર્ટીએ દાવો કર્યો છે તેમનું સ્વાસ્થ્ય લથળી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલના પ્રદર્શન દરમિયાન હવેથી ઓછું બોલશે કારણ કે તેમની તબિયત બગડી રહી છે.

અરવિંદ કેજરીવાલે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું હતું કે ફક્ત શારિરીક રૂપથી નબળો છું, મારી ઇચ્છાશક્તિ નબળી પડી નથી. તેમની મેડિકલ ટીમે કહ્યું હતું કે સાંજ સુધી તેમનું બ્લડ પ્રેશર 114...70 હતું, પલ્સ રેટ 75 અને શર્કરાની માત્રા 85 હતી. ગત ચાર દિવસોમાં તેમનું પાંચ કિલો વજન ઓછું થયું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નામે લખેલા વિરોધ પત્રો પર અત્યાર સુધી એક લાખ 86 હજાર 697 લોકોએ સહી કરી છે. આ લોકોએ કહ્યું છે કે તે વધેલા બિલોની ચુકવણી નહી કરે.

English summary
The fast of AAP leader Arvind Kejriwal in protest against "inflated" power and water bills entered the fifth day on Tuesday with the party claiming that his health was on a decline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X