કેજરીવાલના અનશન યથાવત, તબિયત બગડી

અરવિંદ કેજરીવાલે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું હતું કે ફક્ત શારિરીક રૂપથી નબળો છું, મારી ઇચ્છાશક્તિ નબળી પડી નથી. તેમની મેડિકલ ટીમે કહ્યું હતું કે સાંજ સુધી તેમનું બ્લડ પ્રેશર 114...70 હતું, પલ્સ રેટ 75 અને શર્કરાની માત્રા 85 હતી. ગત ચાર દિવસોમાં તેમનું પાંચ કિલો વજન ઓછું થયું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નામે લખેલા વિરોધ પત્રો પર અત્યાર સુધી એક લાખ 86 હજાર 697 લોકોએ સહી કરી છે. આ લોકોએ કહ્યું છે કે તે વધેલા બિલોની ચુકવણી નહી કરે.












Click it and Unblock the Notifications
